________________
પરિગ્રહ
૭૯
(૩) ચય (એકઠું કરવું), (૪) ઉપચય (મટે ઢગલો કરી રાખ), (૫) નિધાન (ભૂમિમાં એકઠું કરી રાખવું), (૬) સંભાર (સારી રીતે ભરી રાખવું), (૭) સંકર (સંમિશ્રિત પીંડકરણ), (૮) આદર (આદર સાથે રાખી લેવું), (૯) પીંડે બનાવ, (૧૦) દ્રવ્યસાર (દ્રવ્ય લક્ષણને સારતત્વ કાઢી રાખ), (૧૧) મહેચ્છા, (૧૨) પ્રતિબંધ (સ્નેહનું કારણ), (૧૩) લોભસ્વભાવ, (૧૪) મેટી યાચના, (૧૫) ઉપકરણ (ઘરવાખરાનો સંગ્રહ), (૧૬) સંરક્ષણ (શરીરાદિનું વિશેષ પ્રકારે રક્ષણ), (૧૭) ભારનું કારણ, (૧૮) અનર્થનું ઉત્પાદન (૧૯) કલેશને કરંડિયે, (૨૦) ધન ધાન્યને વિસ્તાર, (૨૧) અનર્થનું કારણ, (૨૨) સંસ્તવ, (ધન સ્વજનાદિને પરિચય), (૨૩) મનનું અગેપન, (૨૪) શરીરને આયાસ (ખેદ-પરિગ્રહ હેતુપૂર્વક), (૨૫) અવિયોગ (ધનાદિને
ત્યાગ સહજમાં ન કરે), (૨૬) અમુક્તિ (સલેભતા), (૨૭) તૃષ્ણ, (૨૮) અનર્થક (પરમાર્થ વૃત્તિની રહિતતા), (૨૯) ધનાદિને આસંગ, (૩૦) અસંતુષ્ટ વૃત્તિ, ઈત્યાદિ ત્રીસ નામે પરિગ્રહનાં છે. પરિગ્રહીઓ.
(હવે પરિગ્રહ કરનારાઓ વિષે કહે છે.) પરિગ્રહ કરનારાઓ મમત્વ મૂછીથી ગ્રસ્ત અને લોભગ્રસ્ત હોય છે. ભવનપતિ આદિ વિમાનવાસી દેવો પણ પરિગ્રહની રૂચિવાળા અને વિવિધ પ્રકારના પરિગ્રહ કરવાની બુદ્ધિશાળા હોય છે. દેવતાઓ જેવા કે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ