SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પગ્રિહ વિદ્યા વગેરે-પરિગ્રહ કરવાના કારણરૂપ ધંધા જીવન સુધી તેઓ કર્યા કરે છે. વળી એ મંદ બુદ્ધિના મનુષ્ય પરિગ્રહ સેવવાને અર્થે પ્રાણુઓને વધ કરે છે, જૂઠું બોલે છે, માયા-પ્રપંચ કરે છે, સારી વસ્તુમાં નઠારી વસ્તુ ભેળવીને આપે છે, પારકા દ્રવ્યને લેવાને લાભ કરે છે, પિતાની અને પારકી સ્ત્રીના સેવનથી શરીર અને મનને ખેદ પ્રાપ્ત કરે છે, (વચનવડે) કલહ, (કાયાએ કરી) ભાંડણ-ઝગડે, વૈર, અપમાન, અને કદર્થના પામે છે. ઈચ્છા અને મહેચ્છા રૂપી સેંકડે વષાઓએ કરીને તરસ્યા, તૃષ્ણ (અપ્રાપ્ત વસ્તુની) એ કરી લભગ્રસ્ત, અને આત્માના અનિગ્રહવાળા મનુષ્ય નિંદનીય કેધ, માન, માયા અને લાભ કરે છે. વળી પરિગ્રહથીજ નિશ્ચયે (માયા આદિ) શલ્ય, (ત્રણ) દંડ, (ત્રણ) ગર્વ, (ચાર) કષાય, (ચાર) સંજ્ઞા, (પાંચ) કામગુણ, (પાંચ) આસવકર્મ, (પાંચ) ઇંદ્રિયવિકાર, (ત્રણ અપ્રશસ્ત) વેશ્યા, સ્વજન સંગની મમતા, સચિત્ત -અચિત્ત દ્રવ્યનું મિશ્રણ, ઈત્યાદિ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉપજે છે. પરિગ્રહનાં ફળી. તીર્થકર ભગવાને કહ્યું છે કે દેવતા, મનુષ્ય અને આસુરાદિ લોકમાં લોભથી ઉપજેલા પરિગ્રહ જે બીજે કઈ પરિગ્રહ નથી, પાશ નથી, પ્રતિબંધ નથી. સવ લેકમાં સર્વ જીવેને પરિગ્રહ વળગેલો છે. પરિગ્રહથી ગ્રસેલા છે પરકમાં નષ્ટ થાય છે (સુગતિને પામતા નથી) અને
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy