SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી પ્રેક્ષ વ્યાકરણ સૂત્ર પરધનલાભી રાજાઓ, વળી પારકા દ્રવ્યને વિષે જેઓ અવિરતિ છે જેમને પચ્ચખાણ નથી, જેઓ અત્યંત સમર્થ છે અને પરિગ્રહવાળા છે, તેવા રાજાઓ પારકા ધનને વિષે આસક્ત હેઈ, પોતાના દ્રવ્યને વિષે અસંતુષ્ટ રહ્યા થકા, બીજા રાજાએના દેશને વિનાશ કરે છે. તેઓ પારકા ધનને વિષે લેભાઈને હાથી ઘોડા રથ પાયદળ એવી ચતુરંગી સેના સહિત અને નિશ્ચયવાળા-યુદ્ધમાં શ્રદ્ધાવાળા પ્રધાન સુભટે સહિત, “હું પહેલો લડવા જવું” એવા અહંકાર સહિત પ્રયાણ કરીને પાબૂહ, શકટબૃહ, ચિબૃહ, ચક્રવ્યુહ, ગરૂડબૃહ ઈત્યાદિ બૃહોમાં સિન્યની સ્થાપના કરે છે અને સામાના લશ્કરને પોતાના લશ્કરથી ઘેરી લે છે તથા હારેલાના ધનને હરી લે છે. બીજા યોદ્ધાઓ રણભૂમિને મોખરે પિતાની મેળે જઈને સંગ્રામમાં પ્રવેશ કરે છે. (આ ચોદ્ધાઓ સંગ્રામમાં કેવી રીતે જાય છે તે કહે છે). તેઓ કવચ આદિને સજજ કરે છે, તૈયાર થાય છે, માથે વસ્ત્રને સખત પટ ભીને, હાથમાં શસ્ત્રો તથા તલવાર ધારણ કરીને, દેહ ઉપર લોહમય બખ્તર પહેરે છે, ચામડાના કવચથી શરીરને ઢાંકે છે, લોહને કંચુ પહેરે છે, કાંટાવાળું કવચ પહેરે છે, તીરનાં ભાથાં છાતી ઉપર ગળા સાથે ઉભાં બાંધે છે, પિતાને હાથે રણમાં જવાને માટે શસ્ત્રોની વિશેષ રચના કરે છે, કઠેર ધનુષ્યને હર્ષપૂર્વક હાથમાં ધારણ કરે છે, અતિ તીખાં બાણને વરસાદ વરસાવે છે, વરસાદની ધારાની પેઠે બાણેની પ્રચંડ વૃષ્ટિથી
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy