________________
૫૮
શ્રી પ્રશ્નાવ્યાકરણ સૂત્ર સંસર્ગી-પુરૂષના સંસર્ગથી ઉપજેલું, (૫) સેવનાધિકારઅકાર્યનું સેવન, (૬) સંકલ્પ-વિકલ્પને હેતુ, (૭) બાધાપીડાને હેતુ, (૮) દર્પકારી (ગર્વ ઉત્પન્ન કરનાર), (૯) મહ-અજ્ઞાનને હેતુ, (૧૦) મનમાં સંભ ઉપજાવનાર, (૧૧) અનિગ્રહ-ઇંદ્રિયને સ્વચ્છંદી બનાવનાર, (૧૨) કલેશને હેતુ, (૧૩) ગુણઘાતને હેતુ, (૧૪) વિભંગ-ગુણની વિરાધનાને હેતુ, (૧૫) વિશ્વમને હેતુ, (૧૬) અધર્મ આચરણને હેતુ, (૧૭) શીલનું વિનાશક, (૧૮) કામગુણ અર્થાત શબ્દાદિને શોધનાર, (૧૯) કામસેવા, (૨૦) સનેહ ચિંતાને હેતુ, (૨૧) કામગમાં મરણાંત સુધી આસક્ત રાખી અનેક મરણ નીપજાવનાર, (૨૨) વૈરને હેતુ, (૨૩) છાનું કર્તવ્ય, (૨૪) છુપાવવા ગ્ય, (૨૫) ઘણાને મનમાન્યું, (૨૬) બ્રહ્મચર્યનું ઘાતક, (૨૭) ગુણનું ઘાતક, (૨૮) ચારિત્ર્યની વિરાધના કરનાર, (૨૯) કામાસક્તિ, (૩૦) કંદર્પ ના ગુણકાર્ય રૂપ. સમુચ્ચયે અબ્રહ્મચર્યનાં એ ત્રીસ નામ કહ્યા. અબ્રહ્મચર્ય સેવનારાઓ.
હવે અબ્રહ્મચર્યને કેણ સેવે છે, તે કહે છેઃ –વૈમાનિક દેવતાઓ દેવાંગનાઓ સાથે મેહમુગ્ધ મતિથી તેનું સેવન કરે છે. ભુવનપતિઓ-અસુરકુમાર,નાગકુમાર,સુવર્ણકુમાર, વિદ્યુત્ કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, સ્થાનિતકુમાર એ ૧૦ તેનું સેવન કરે છે. વાણવ્યંતર-આણપત્રી, પાણપત્ની, ઈસીવાઈ, ભૂયવાઈ, કંદિમ, મહાકદિમ, કુહંડ, પયંગદેવ, પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ,