SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાકમ લાખ કુળકે છે. તે જન્મ મરણનાં તીવ્ર દુખ સંખ્યાત કાળ સુધી જોગવતાં પરિભ્રમણ કરે છે. એકેદ્રિયપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂરમ, બાદર, પર્યાપ્ત, અપ્રયત, પ્રત્યેક શરીરધારી, સાધારણુ શરીરધારી (અનંતકાય)માં છ જન્મ મરણનાં દુઃખ ભગવે છે. તેમાં પ્રત્યેક શરીરી જીવ સંખ્યાતા કાળ સુધી અને સાધારણ શરીરી જીવ અનંત કાળ સુધી અનિષ્ટ દુખે અનુભવે છે. એકેદ્રિયપણે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વારંવાર વૃક્ષ સમૂહને વિષે છે. કેદાળી, હળ વગેરે શસ્ત્રથી જમીન ખોદાય તેથી પૃથ્વી કાયમાં જીવને દુઃખ ભોગવવા પડે છે. પાણીમાં રહેલા એકેંદ્રિયપણે જીને સ્નાન વગેરેમાં મર્દાવું, ક્ષોભાવું (ઉલેચાવું) અને રંધાવું પડે છે. અગ્નિ અને વાયુકાયમાં જીવોને પરસ્પર એક બીજા સાથે અથડાવું, હણાવું, મરાવું અને પરસ્પર પરિતાપના વેઠવી પડે છે. આવા એકેદ્રિયાદિકને વાંચ્છના વિના, નિરર્થકપણે, પિતે નહિ ઉત્પન્ન કરેલાં એવાં દુઃખો પરને અર્થે ભેગવવાં પડે છે. કાર્યને અર્થે, પિતાનાં દાસાદિક અને પશુ નિમત્તે તથા ઔષધે-આહાર આદિને માટે એકેદ્રિય જીને મનુષ્ય ખાંડે છે, છાલ ઉતારે છે, રાંધે છે, ચૂર્ણ કરે છે, દળે છે, ફૂટે છે, સેકે છે, ગાળે છે, ચેળે છે, સેવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છોલે છે, (વાળ-રેસાને) ચુંટે છે, (પાંદ-ફળ માટે) ઝુડે છે, અગ્નિથી બાળે છેઃ ઈત્યાદિ રીતે એકેંદ્રિયપણે જ દુને ભવપરંપરામાં અવિચ્છિનપણે અનુભવતાં ભયાનક સંસારમાં પરિભ્રમણ કરે છે.
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy