________________
૧૫ર
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સાધુએ " રાષ-હેલણ–નિંદા-વકતા- છેદન-ભેદન-જુગુપ્સા ઈત્યાદિ સ્વ-પરના આત્માને અર્થે કરવો નહિ. એ પ્રમાણે જિહ્વા ઇંદ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મનેz–અમનેઝ અને શુભ-અશુભ (રસો) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇન્દ્રિયનું રૂંધન કરનાર હાઈ ધર્મને આચરે છે.
પાંચમી ભાવનાએ સ્પર્શેન્દ્રિયને (શરીરની ત્વચાને) મને તથા સુખકારક પશે લેતાં સંવૃત્ત કરવી. (તે સ્પર્શે કેવા ?) ઉદકમંડપ (જેમાંથી પાણીનાં ઝીણાં કણ વરસ્યા કરે તે-કુવારે), વેત ચંદન, શીતળ નિર્મળ જળ, નાના પ્રકારનાં ફૂલની શય્યા, સુગંધી વાળે, મુક્તાફળ, પદ્મનાભ (મૃણાલ), ચંદ્રની ચાંદની, મોર પીંછના પંખાથીતાડના પાંદડાના પંખાથી ઉપજાવેલા સુશીતળ પવન, ગ્રીષ્મકાળે સુખસ્પર્શ કરાવનારાં અનેક પ્રકારનાં શયન, આસન તથા વસ્ત્ર, શિયાળામાં અગ્નિવડે શરીરને તપાવવું, સૂર્યને આતપ લે, સ્નિગ્ધ-મૃદુ-શીત-ઉષ્ણ-હળવે એ ઋતુ ઋતુને વિષે સુખકારક સ્પર્શ જે શરીરનું સુખ તથા મનની સ્વસ્થતા કરનારા છે તે અને એવા બીજા અનેક પ્રકારના મને તથા સુખકારક સ્પર્શીને વિષે સાધુએ સંગ કરે નહિ, રાગ-ગૃદ્ધિ-મેહ-લભ-તેષ-હાસ્ય-રમરણ તથા મતિ કરવી નહિ. વળી સાધુએ સ્પર્શેઢિયે કરી અમનોજ્ઞ તથા પાપના કારણરૂપ સ્પર્શ જેવા કે અનેક પ્રકારનાં બંધન, વધ, તાઠન, ડામ, અતિ ભારાપણુ, અંગભંજન (અવયવ ભાંગવા-મરડવામાં આવે તે), નખમાં સેયને પ્રવેશ, ચામપર નાના છેદ, ગરમ લાખને રસ