SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અદત્તાદાન માળા દેરડાની પેઠે પહેરાવેલા, મરણના ભયથી શરીરે પરસેવાથી રેબઝેબ બનેલા જાણે કે શરીરે તેલ ચેપડયું હોય, રાખે ખરડેલા જેવા દેખાતા શરીરવાળા, ધૂળથી ભરેલા દેખાતા કેશવાળા જાણે માથે કસું લગાડો હેય, જીવવાની આશાથી રહિત બનેલા, વિકળપણે લતા, હેણુવાને માટે લઈ જવામાં આવતા હોવા છતાં પ્રાણશ્વાસોશ્વાસ ઉપર પ્રીતિવાળા તે ચેર લેકેને તલ-તલ જેવા છેદ કરવામાં આવે છે, તેથી વહેતા લોહીથી તેમનું શરીર ખરડાય છે, તેમના માંસના નાના-નાના કકડા કરી. તેમને ખવડાવે છે, પાપી જને ચામડાના થેલામાં પત્થર ભરી તેમને મારે છે, વાયુની પેઠે ન અટકાવી શકાય તેવાં. સ્ત્રી પુરૂષનાં અને નગરજનેનાં ટેળાં તેમની સાથે તેમને જેતા જેતા ફરે છે. વધ કરવા માટે એગ્ય વસ્ત્રો પહેરાવીને તેમને નગરની વચમાં ફેરવવામાં આવે છે, તે રાંકદિન ચેર લેકેના વિનાશને નિવારનાર કેઈ નથી, તેઓ શરણરહિત છે, અનાથ છે, બંધવરહિત છે, સ્વજનથી ત્યજાયેલા છે, આસપાસ જુએ છે (પિતાને કેઈ. મુકાવનાર છે કે નહિ એવા ભાવથી જુએ છે), મરણના ભયથી ઉદ્વિગ્ન થએલા છે. તેમને વધસ્થાને પહોંચાડે છે, શૂળીએ ચડાવે છે, દેહને વિદારે છે, તેમના અંગે પાંગને કાપે છે, વૃક્ષની ડાળે બાંધે છે, ત્યારે તેઓ દીન વચને વિલાપ કરે છે. વળી કેટલાક ચારનાં ચાર અંગ (બે. હાથ અને બે પગ) બાંધીને તેમને પર્વતની ટોચ પરથી. નીચે ગબડાવે છે ત્યારે તેઓ બહુ ઉંચેથી પડવાથી વિષમ
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy