________________
૧૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
( બાજઠ આદિ), પાટીયું, સાંબેલું, ખાંડણી, વીણા આદિ વાદિત્ર, પટહ (ઢાલ આદિ), આતાદ્ય (વાદિત્રના પ્રકાર),વહાણુ, વાહન, મંડપ, નાના પ્રકારનાં ભવન, તારણ, કાષ્ટ-પાષાણુનાં શિખરમંધ દહેરાં, જાળી, અર્ધું ચદ્રાકાર પગથીયાં, ઘરનાં બારસાખ, પ્રાસાદ ઉપરની ચદ્રશાળા, વેદિકા, નીસ રણી, હાડી, નગારી, ખુંટા, ગમાણુના ખુંટા, પરમ-પાણીયારૂં, આશ્રમ, સુગંધદાયક પદાર્થ(કપુરાદિ), પુષ્પમાળા,અંગવિલેપનના પદાર્થાં, વસ્ત્રો, સરૂં, હળ, પાત્ર, મોટા રથ,પાલખી, નાના રથ, ગાડાં, યાન, તદ્દન નાના રથ, ગઢના કાઠા, ગઢની અંદરના માગ,ખારાં, પાળ, આગળા, રહે’ટ, શૂળી, લાકડી, મુસુદ્ધિ (એક પ્રકારનું હથીયાર), સે। જણને મારે તેવું હથીયાર, તે ઉપરાંત હથીયાર અને ઘરવાખરા ઈત્યાદિ ઘણાં કારણાને માટે ઉપર જણાવ્યા તે તથા બીજાં સત્ત્વવાળાં તથા સત્ત્વ વિનાનાં વૃક્ષાના સમૂહ ઈત્યાદિ વનસ્પતિકાચની હિંસા અતિમૂઢ અને દારૂ મતિવાળાએ ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, રતિ, અરતિ, શેકવડે, વેદ (શ્રી, પુરૂષ અને નપુંસક)ને માટે, વિતને અર્થ, કામલેગને અર્થ, ધનને અર્થે અને ધમ નિમિત્તે કરે છે.
વળી તેઓ સ્વવશ રહેલાને, પરવશ રહેલાને, પેાતાને અર્થ, ૫રને અર્થ, ત્રસ પ્રાણી અને સ્થાવર એકેદ્રિયાક્રિકને હણે છે. તે મંદ બુદ્ધિવાળાઓ સ્વવશપણે તેમ પર વશપણે અને સ્વવશ તથા પરવશ બેઉ પ્રકારે હિ'સા કરે છે. તેઓ પેાતાને અગે, પરને અર્થે અને પેાતાને તથા પરને બેઉને અર્થે હિંસા કરે છે. તેઓ હાસ્યપૂર્વક, વૈર