SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અબ્રાચય તેઓ કેવા છે? તેઓ પ્રવર પુરૂષ છે, મોટા બળ-પરાક્રમવાળા છે, મોટા ધનુષ્યને ટંકાર કરનારા છે, મહા સત્યાહસના સાગર છે, પ્રતિસ્પદ્ધથી જીતી ન શકાય તેવા છે, ધનુર્ધર છે, પુરૂષોમાં વૃષભ સમાન છે. એ રામ (બળદેવ) અને કેશવ (વાસુદેવ) એ બે ભાઈ પરિવાર સહિત છે. વસુદેવ, સમુદ્રવિજય આદિ દસ દશાહ હદયના વલ્લભ છે; પ્રદ્યુમ્નકુમાર, પ્રદીપકુમાર, સાંબકુમાર, અનિરૂદ્ધકુમાર, નૈષધકુમાર, ઉશુકકુમાર, સારણ કુમાર, ગજકુમાર, સુમુખકુમાર, દુમુકુમાર, આદિ યાદના સાડા ત્રણ કરોડ કુમારેના હૃદયના લલભ છે, તથા દેવી રેહિણું (બલદેવની માતા) અને દેવી દેવકી (કૃષ્ણની માતા) ના હૃદયને આનંદને ભાવ ઉત્પન્ન કરનારા છે. સેળ હજાર પ્રધાન રાજાઓ તેમની પાછળ પાછળ હીંડે છે. સોળ હજાર દેવીઓનાં નયન-હૃદયને વહાલા લાગે છે. નાના પ્રકારના મણિ, સુવર્ણ, રત્ન, મોતી, પ્રવાલ, ધન, ધાન્ય વગેરે ત્રાદ્ધિના સંગ્રહથી તેમના કેષાગાર ભરેલા છે. હજારે ઘડા, હાથી, રથના સ્વામી છે. હજારો ગામ, આગર, નગર, ગામડાં, મંડપ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંવાહ, ભયવર્જિત હાઇને સુખસમાધિ અને આનંદ ભગવતા વિવિધ લેકેથી ભરેલી પૃથ્વી, સરોવર, નદી, તળાવ, પર્વત, કાનન, આરામ (બગીચા), ઉદ્યાનથી નેત્રને આનંદ આપે છે, એવા અર્થે ભરતના તે સ્વામી છે. દક્ષિણા ભરત વૈતાઢય ગિરિથી વિભકત થએલે છે અને લવણસમુદ્રથી વિંટાઈ રહે છે. વળી છ પ્રકારની તુ
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy