SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાકમ ૧૯ હિસકના પુનર્જન્મ પૂર્વે કરેલાં કર્મોને અને પાપાને અનુસરતાં ચીકણાં દુઃખ તે તે નરકમાં ભાગવીને પછી નારકીનાં આયુષ્ય પૂરા થતાં તેમાંના ઘણા તીર્યંચની ગતિમાં ઉત્પન્ન થાય છે. તે ગતિમાં પણ એ જીવા દારૂણ દુઃખ ભોગવે છે. તે ગતિમાં જન્મ, મરણ, જરા, વ્યાધિ એ બધાં ફૈટની ગતિની માફક (ચક્રવત) ભાગવવાં પડે છે. જલચર સ્થલચર અને ખેચરની ગતિમાં ઉપજીને માંહેામાંહે વિનાશ અને પ્રપચ આદરે છે. જગતમાં રાંક-પડાં તીર્યચા ઘણા કાળ સુધી દુઃખ પામે છે એ તા પ્રકટ છે. આ દુઃખા કેવાં છે? ટાઢ, તાપ, તરસ અને ભૂખની વેદના વેઠવી; સુશ્રૂષાથી રહિતપણે વનમાં જન્મ પામવા; સત્તાએ ભય તથા ઉદ્વેગમાં વસવું; ભયે કરીને જાગવું; વધ’- ધનનુ પ્રહારનું દુઃખ વેઠવું, ખાડામાં પડવું, ભારે કરીને હાડકાં ભાગવાં, નાક વિધાવવું, પ્રહારે કરી દુ:ખ પામવું, કાન વગેરે અંગોપાંગ છેદાવવાં, ખળાત્યારે-માર ખાઈને કામ કરવું, ચાબુક-અકુશ-આર વગેરૈને શરીરમાં ભેાંકાવવાં, પરાણે શીખવું (ક્રમન વેઠવું), નાના પ્રકારના ભાર વહેલા, માતાપિતાના વિયેાગ સહેવા; કાન-નાકના છિદ્ર વાટે રાશ-દોરડા વડે બંધાવું; શસ્ત્ર, અગ્નિ, વિષ ઇત્યાદિ વડે હાવું; ગળું-શીંગડાંના આમળવાથી મરણ પામવું; ગલ અને જાળે કરી પાણીમાંથી (માછલીનું) બહાર નીકળવું, પાંકની પેરે સેકાવું, છેઢાવું, જીવિત સુધી મંધનમાં રહેવું, પાંજરામાં પુરાવુ, પેાતાના ટોળામાંથી વિખૂટા પડવું, (દુ:ખપૂર્વક) વાયુ પુરાવવે,
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy