________________
૧૩૬
શ્રી. પ્રેક્ષ વ્યાકરણ સૂત્ર
ગોત્ર કર્મની બે અને અંતરાય કર્મની પાંચ એ આઠ કર્મની એકત્રીશ પ્રકૃતિને વિજય. ]
(૩૨) બત્રીશ પ્રકારને યોગ (પ્રશસ્ત વ્યાપાર) સંગ્રહ.
[ ૧ પાપનું પ્રાયશ્ચિત્ત લે, ૨ શિષ્યને પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે ગુરૂ બીજાને ન કહે, ૩ વિપત્તિમાં ધર્મ વિષે દૃઢ રહે, ૪ નિશ્રારહિત તપ કર, ૫ સૂત્રાર્થ ગ્રહણ કરે, ૬ સુશ્રષા ટાળે, ૭ અજ્ઞાત કુળની ગૌચરી કરે, ૮ નિર્લોભી થાય, ૯ બાવીશ પરિષહ સહે, ૧૦ સરલ સ્વભાવ રાખે, ૧૧ સત્ય સંયમ આચરે, ૧૨ સમ્યક્ત્વ નિર્મળ રાખે, ૧૩ સમાધિપૂર્વક રહે, ૧૪ પાંચ આચાર પાળે, ૧૫ વિનય કરે, ૧૬ ધતિ રાખે, ૧૭ વૈરાગ્ય રાખે, ૧૮ શરીરને સ્થિર રાખે, ૧૯ સારાં અનુષ્ઠાન કરે, ૨૦ આસ્રવ રોકે, ૨૧ આત્માના દેષ ટાળે, ૨૨ સર્વ વિષયથી વિમુખ રહે, ૨૩ મૂળ ગુણ વિષે પ્રત્યાખ્યાન કરે, ૨૪ ઉત્તર ગુણ વિષે પ્રત્યાખ્યાન કરે, ૨૫ અપ્રમાદી થાય, ૨૬ કાળે કાળે ક્રિયા કરે, ૨૭ ધર્મધ્યાનને સંગ્રહ કરે, ૨૮ સંવર વેગને સંગ્રહ કરે, ૨૯ મરણ કે રોગ નીપજે તે મનને ક્ષુબ્ધ ન થવા દે, ૩૦ સ્વજનાદિકને ત્યાગ કરે, ૩૧ પ્રાયશ્ચિત્ત લીધું હોય તે પાળે, ૩ર આરાધક–પંડિત મૃત્યુ થાય તેમ આરાધના કરે. ]
(૩૩) તેત્રીશ પ્રકારની આશાતના.
[૧ શિષ્ય વડા (ગુરઆદિ)ની આગળ અવિનયે ચાલે, ૨ શિષ્ય વડાની બરાબર–સાથે ચાલે, ૩ વડાની પાછળ અવિનયે ચાલે, ૪-૫-૬ શિષ્ય વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયે ઉભો રહે, ૭–૮–૯ વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયે બેસે, ૧૦ શિષ્ય વડાની સાથે બહિરભૂમિ જાય અને વડાની પહેલાં શચિ થઈ આગળ આવે,