SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ - હિંસાકમ શુળની અણુ ઘંચવી, આજ્ઞા કરીને ઠગવું, ભેઠા પાડવું, અપમાન કરવું, ગુન્હો બતાવીને વધભૂમિમાં લઈ જવું, વધ્ય જીવને માટીમાં દાટ, એ પ્રમાણેનાં કષ્ટોથી પૂર્વે કરેલાં કર્મોના સંચયથી નારકી છ પીડાય છે. નરક ક્ષેત્રને અગ્નિ, મહાઅગ્નિ (દાવાનળ સરખે), એની અતિ દુઃખકારી, ભયકારી, અશાતાકારી શારીરિક અને માનસિક એવી બે પ્રકારની વેદના એ જ ભગવે છે, અને એ વેદનાને એ પાપીઓ ઘણા પલ્યોપમ અને સાગરેપમના આયુષ્ય સુધી દયાજનક રીતે સહન કરે છે. પરમાધામી જ્યારે નારકીને ત્રાસ ઉપજાવે છે, ત્યારે નારકીઓ ભયભીત સ્વરે આકંદ કરતાં કહે છે: “હે અત્યંત શક્તિમાન, હે સ્વામી, હે ભાઈ, હે બાપ, હે તાત, હે શત્રુજિત ! મને છેડે, હું મરું છું, હું દુર્બળ છું, વ્યાધિ પીડિત છું!” એમ બેલ તે જીવ દયારહિત પરમાધામી તરફ દષ્ટિ કરે છે કે રખે મને મારશે ! તે કહે છે: “મને કૃપા કરીને મુહૂર્તમાત્ર શ્વાસ લેવા દે અને મારા ઉપર રેષ ન કરે! ક્ષણ માત્ર વિસામે લઈ શકું તે માટે મારું ગળાનું બંધન છેડે, નહિતર હું મરી જઈશ. મને બહુ તરસ લાગી છે, માટે મને પાણી પીવા આપ.” તે વખતે પરમાધામી તે નારકીને કે મળ આમંત્રણ વડે “શીતળ અને નિર્મળ પાણી તું પી” એમ કહે છે અને તેને પકડીને પરમાધામી કથીરને રસ કળશમાંથી તેના કરસંપુટમાં રેડે છે; તે પાણી દેખીને નારકી ધ્રુજી ઉઠે છે, અને આંસુ ગાળતાં કરૂણાજનક સ્વરે કહે છે કે “મારી તરસ હવે છીપાઈ ગઈ છે, મારે હવે * : -
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy