SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નારું, દુર્ગતિને વધારનારું, જન્મ-મરણને વધારનારું, ઘણા કાળનું સેવેલું, હમેશાં સાથે ચાલ્યું આવનારું અને દુખે અંત પામી શકાય તેવું એ અદત્તાદાન છે. અદત્તાદાનનાં નામ. એ અદત્તાદાનનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામ છે –(૧) ચારવું, (૨) પરકા ધનને હરવું, (૩) નહિ આપેલી વસ્તુ લેવી, (૪) ફૂર કાર્ય કરવું, (પ) પારકા દ્રવ્યને લાભ લે, (૬) અસંયમ, (૭) પરધનમાં વૃદ્ધ થવું, (૮) લેલુપી થવું, (૯) તસ્કરપણું, (૧૦) અપહરણ કરવું, (૧૧) પરધન હરવામાં હાથચાલાકી કરવી, (૧૨) (ચેરી રૂ૫) પાપકર્મ કરવું, (૧૩) ચૌર્ય ભાવ, (૧૪) હરવું અને ધનની હાનિ કરવી, (૧૫) પરધનને લેવું, (૧૬) પરધનને છીનવી લેવું, (૧૭) અપ્રતીતિજનક કાર્ય, (૧૮) પરને પીડાજનક કાર્ય (૧૯) પરધન લેવા માટે ઉદ્યમ, (૨૦) સંતાડવું, (૨૧) વિશેષ પ્રકારે કરીને છુપાવવું, (૨૨) કુંડાં તેલ, (૨૩) કુળને કલંક લગાડવું, (૨૪) પરદ્રવ્યને અભિલાષ કરવે, (૨૫) (રાજા તરફથી કષ્ટ આવે ત્યારે) દીનતા દર્શાવવી, (૨૬) વિનાશકારક વ્યસન, (૨૭) પરધનની અભિલાષા અને મેળવેલા ધન માટેની મૂછ, (૨૮) પામેલા ધનની તૃષ્ણા અને નહિ પામેલા ધનની વાંચ્છના, (ર૯) કમને ઢાંકવા માટે માયા કપટ, (૩૦) પારકી નજર ચુકાવીને ચોરી કરવી. એ પ્રમાણે અદત્તાદાનનાં ૩૦ નામ છે, અને તે ઉપરાંત અદત્તાદાનના દુષ્ટ કર્મનાં બીજાં અનેક નામે જાણવાં.
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy