________________
૪૪
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર હૈયાના અને નિર્લજજ ચાર કે બીજાઓને લૂટે છે અને ગાયને ઉપાડી જાય છે. એ દારૂણ મતિવાળાઓ અને દયારહિત ચારે પોતાનાઓને પણ હણે છે, ઘર ફેવને ખાતર પાડે છે, ઘરમાં રાખેલું-દાટેલું ધન-ધાન્ય-દ્રવ્ય ચેરી જાય છે. વળી તેવા નિર્દય ચેરે દેશના લોકોને મારે છે–ફૂટે છે. પારકું દ્રવ્ય હરવાની આખી વિનાના અને અણદીધું દ્રવ્ય લેવાની મતિવાળા લેકે પરદ્રવ્યની શોધ કરવાને કાળે અને અકાળે ઠેર ઠેર ભટકે છે. ચિતાઓમાં બળતાં રૂધિરાદિથી ભરેલાં મુડદાંને કાઢીને, રૂધિરથી ખરડેલાં સુખવાળી ડાકણે તે મુડદાને ખાય છે તથા તેમાંનું લેહી પીએ છે, એવા ભયંકર સ્મશાનમાં કે જ્યાં શિયાળીયાં ભયાનક શબ્દ કરે છે, ઘુવડે ઘોર ઘુઘવાટ કરે છે, પિશાચ અપ્રકટ રહીને કહકહાટ કરે છે તથા અટ્ટ હાસ્ય કરે છે, એ પ્રકારે બીહામણા-અરમણીય, અતિ દુર્ગધયુક્ત અને સૂગ ઉત્પન્ન કરે તેવા સમશાનમાં, વનમાં, સૂના ઘરમાં, પત્થરની ખાણમાં, માર્ગની વચમાં આવતા હાટાદિમાં, પર્વતની ગુફામાં, સિંહાદિ હિંસક જાનવરના નિવાસવાળાં વિષમ સ્થામાં, કલેશ પામતા ટાઢતાપથી સુકાયેલા શરીરવાળા તથા કાંતિરહિત બનેલા ચોર લેકે નરકતીચના ભાવમાં ભોગવવાં પડતાં દુઃખોની પરંપરાને અને (ચેરીનાં) પાપકર્મોને એકઠાં કરે છે. મિષ્ટ ભોજન અને પાછું જેને દુર્લભ છે અને જે ભૂખ તથા તરસથી દુખ પામે છે, તે ચોર લેકે માંસ, મુડદાલ માંસ, કંદ મૂળ અને જે કાંઈ મળે તેને બહાર કરી લે છે અને ઉદ્વિગ્ન તથા ભયથી ધડકતા