________________
૧૦૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર .
જડતું ન હોય), તે પણ તે કેઈને કહેવું કે પિતે લેવું સાધુને કપે નહિ. હિરણ્ય-સુવર્ણથી રહિતપણે અને પાષાણ તથા કાંચનને સમાન ગણતાં (એવી ઉપેક્ષાવૃત્તિથી) કેવળ અપરિગ્રહ અને સંવૃત્ત (ઇંદ્રિયોના સંવરયુક્ત) ભાવે સાધુએ લોકને વિષે વિહરવું. કાંઈ પણ દ્રવ્યાદિ ખળાંમાં હોય, ખેતરમાં હેય, વગડાની વચ્ચે હોય, કાંઈ પુષ્પ-ફળછાલ-મંજરી (પ્રવાલા)–કંદમૂળનૂણ-કાઠ-કાંકરી આદિ વસ્તુઓ અલ્પ મૂલ્યવાળી કે વિશેષ મૂલ્યવાળી હોય, થી હોય કે ઘણી હોય, તે પણ તે વસ્તુઓ તેના માલીકની અણદીધી લેવી સાધુને કપે નહિ. દિન દિન પ્રત્યે અવગ્રહ મેળવીને (માલીકની પરવાનગી લઈને) તે તે વસ્તુ સાધુએ ગ્રહણ કરવી કપે. સાધુ પ્રત્યે અપ્રીતિ કરનારના ગૃહમાં પ્રવેશ કે તેવા અપ્રીતિકારકનાં ભજન-પાનાદિ સાધુએ વર્જવાં તેમજ અપ્રીતિકારકનાં પાટ, પાટીયાં, શય્યા, સસ્તારક, વસ્ત્ર, પાત્ર, કામળી, દંડ, રજોહરણ, પાટલે, ચલ પટે, મુખવસ્ત્રિકા, પાદપુછણાદિ, ભાજન, વસ્ત્રાદિ ઉપકરણ એ પણ વર્જવાં. વળી પારકા અપવાદ (વિકથા), પારકા દેશેનું દર્શન અને પારકાને નામે (આચાર્ય કે ગ્લાન સાધુને નામે) કાંઈ વસ્તુ લેવી, તે દષે પણ સાધુએ વજવા. તેમજ બીજાએ કરેલો ઉપકાર (સુકૃત) નાશ પમાડે (મત્સરપૂર્વક ઉપકારની અવગણના કરવી) એ પ્રકારનું કાર્ય, દાનમાં વિન કરવાનું કાર્ય, દાનને વિનાશ, બીજાની ચાવી-ચુગલી તથા મત્સરિત્વ (પારકા ગુણે પ્રત્યે અસહિષ્ણુતા), એ બધા દેશે (તીર્થકરેએ અનુજ્ઞાત નહિ કરેલા હાઈ) વર્જવાયેગ્ય છે. તે