Book Title: Prashna Vyakaran Sutra
Author(s): Chotalal Muni
Publisher: Laghaji Swami Pustakalay

View full book text
Previous | Next

Page 137
________________ ૧૨૦ - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આખા શરીરને મેલ ઉતાર, અંગ-વિલેપન, (સુગંધિત) ચૂણેથી શરીરને સુવાસિત કરવું, (અગુરૂ આદિના) ધૂપથી શરીરને ધૂપવું, શરીને શણગારવું, જેથી ચારિત્ર કલુષિત થાય તેમ નખ-વસ્ત્ર-કેશાદિને સમારવાં, હસવું, ( કુશાસ્ત્રનું) ભણવું, નૃત્ય, ગીત, વાચિત્ર બનાવવું, નટ-નર્તક-બજાણીયા-મલાદિના ખેલ જોવા, ભાંડચેષ્ટ જેવી, ઇત્યાદિ જે હલકા શંગારની ખાણ જેવાં છે અને બીજા પણ એવા પ્રકારે જે તપ-સંયમ-બ્રહ્મચર્યનો ઘાત-ઉપઘાત કરનારાં હોય તે, બ્રહ્મચર્યનું અનુપાલન કરનારે સર્વ કાલે વર્જવાયેગ્ય છે. તેને ઉપર જણાવેલાને વર્જનારને) અંતરાત્મા નિત્ય તપ-નિયમ-શીલના યોગથી ભાવિત થાય છે. (એ તપ-નિયમ-શીલના વ્યાપાર હવે કહે છે). અસ્નાન, દાંતને સાફ ન કરવા તે, પરસેવ-મેલ-ગા મેલ ધારણ કરે તે (ન ઉતાર તે), મૌન વ્રત, કેશલોચન, ક્ષમા, ઇંદ્રિયનિગ્રહ, અચલક (વસ્ત્રરહિતતા), ભૂખ-તરસને સહન કરવાં તે, લાઘવ (અલ્પ વસ્ત્ર રાખવાં તે), ટાઢ-તાપ સહેવાં તે, કષ્ટશ, ભૂમિ પર બેસવું તે, (ભિક્ષાર્થે) પારકે ઘેર જવું તે, (ભિક્ષા) મળે કે ન મળે અથવા ઓછું મળે (ત ખેદ ન પામ તે), માન-અપમાન-નિંદાને સહન કરવાં તે, ડાંસ-મચ્છરના સ્પર્શને સહેવાં તે, નિયમ, તપ, ગુણ, વિનય, ઈત્યાદિ એગથી એ અંતરાત્મા ભાવિત થાય છે, અને તે રીતે તેનું બ્રહ્મચર્ય સ્થિરતા-વિશેષ દૃઢ થાય છે. પાંચ ભાવનાઓ. બ્રહ્મચર્ય વ્રતના રક્ષણને અર્થે અને અબ્રહાચર્યના

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180