________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અદીનપણે, અવિમનસ્ટપણે (આહાર ન મળતાં વિમનસ્ક ન થાય), કરૂણપણે, વિષવાદરહિતપણે, 'સયમમાં ઉદ્યમવત મનાયેાગે કરી, યતનાએ કરી, (અપ્રાપ્ત) સચમયેાગની પ્રાપ્તિએ કરી, વિનય-ક્ષમા આદિ ગુણે કરી યુક્ત, એ પ્રકારે ભિક્ષેષણામાં ભિક્ષુ ઉદ્યમવ’ત રહે. આખા જગતના જીવાની રક્ષાને અર્થે, દયાને અર્થે, શ્રી મહાવીર ભગવાને એ પ્રમાણે પ્રવચન કરેલું છે. એ પ્રવચન આત્માને હિતકારક છે, જન્માંતરે શુદ્ધ ફળને આપનારૂં છે, આગામી કાળે કલ્યાણકારક છે, નિર્દોષ-શુદ્ધ છે, ન્યાય્ય છે, મક્ષપ્રાપ્તિ માટે સરલ છે, સર્વોત્તમ છે અને સર્વ દુઃખ-પાપને ઉપશમાવનારૂં છે. પાંચ ભાવનાઓ.
૯૪
પહેલા પ્રાણાતિપાત વિરમણ વ્રતના રક્ષણને અર્થે પાંચ ભાવનાઓ છે. પહેલી ભાવનાએ સ્થાનમાં સ્થિતિ કરવામાં, ચાલવામાં, પેાતાને અને બીજાને ઉપઘાત ન થાય તેવી રીતે ગુણુ ચાગયુક્ત અને (ગાડાના) ધૂસરાના પ્રમાણ જેટલી ભૂમિ ઉપર ષ્ટિ પડે તેવી ષ્ટિએ ચાલવું. કીડા, પતંગ, ત્રસ, સ્થાવર જીવ ઉપર જે દયાળુ છે અને નિત્ય પુષ્પ, ફળ, છાલ, અંકુર, કદ, મૂલ, પાણી, માટી, બીજ, લીલેાતરી ઇત્યાદિને (સજીવ જાણી) જે પરિહરે છે, તેણે સમ્યક્ પ્રકારે (ઈયાઁસમિતિએ ) ચાલવું. મધા પ્રાણીઓ( ને અવગણવા નહિ, નિર્દેવા નહિ, તિરસ્કારવા નહિ, મારવા (પગે ચાંપીને) નહિ, ખંઢ કરવા નહિ, છેદવા નહિ,
વ્યથા ઉપજાવવી નહિ, અને જરા પણ ભય કે દુઃખ ઉપ