________________
-- શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
બેસી રહેનારા, એક પાસે શયન કરનારા, આતાપના લેનારા, પ્રાવરણ (વસ્ત્રાદિ રહિત રહેનારા (ટાઢ-તાપ સહેનારા), મુખ–શ્લેષ્મને ન પરિઠવનારા, ખજવાળ આવતા છતાં શરીરને નહિ ખણુનારા, કેશ-મૂછ-રામ-નખને શોભાની દષ્ટિએ) નહિ રાખનારા, શરીરનાં બધાં અવયવોના સંસ્કારને છોડનારા, શ્રતધર (સૂત્રના જાણકાર), અને અર્થના સમૂહને જાણ નાર બુદ્ધિવાળા, એ બધાયે ભગવતી અહિંસાને આચરી-પાળી છે. જેઓ ધીર મતિવાળા છે, બુદ્ધિવાળા છે, દષ્ટિવિષ સર્ષના ઉગ્ર તેજ જેવા તેજ-પ્રભાવયુક્ત છે, નિશ્ચય તથા પુરૂષકારથી પર્યાપ્ત એવી પરિપૂર્ણ મતિવાળા છે, નિત્ય સ્વાધ્યાય-ધ્યાનાદિ કરનારા છે, સતત ધર્મધ્યાનને આચરનારા છે, પાંચ મહાવ્રતરૂપ ચારિત્ર કરી યુક્ત છે, (પાંચ) સમિતિમાં પ્રવર્તે છે, પાપને શમાવ્યાં છે, છકાયરૂપી જગતના વલ્લભ-વાસત્યકારી છે, સદા અપ્રમત્ત છે, તેઓએ અને તેમના સરખા બીજા અનેકે અહિંસા ભગવતીનું પાલન કર્યું છે.
અહિંસકનાં કર્તવ્ય. | ( હવે અહિંસાપાલનમાં ઉદ્યમવત મનુષ્ય શું કરવા
ગ્ય છે તે કહે છે ). પૃથવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, ત્રસ તથા સ્થાવર એ સર્વ જીવોની દયા પાળવાને અર્થે શુદ્ધ આહારની ગવેષણ (ધન) કરવાગ્ય છે. (સાધુને અર્થ) નહિ તૈયાર કરેલું, નહિ કરાવેલું, અનાહુત (અનિમંત્રણપૂર્વક વહેરેલું), અનુષ્ટિ (ઉદેશિક દોષ રહિત), સાધુને અર્થે વેચાતું નહિ લીધેલું, નવ કેટિએ