________________
૧૦,
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પથર સાથે કુટાય છે. બીજાઓને હાથીના પગ હેઠળ ચગદ-. વામાં–મવામાં આવે છે. વળી પાપી અધિકારી જનો કેટલાક ચરેનાં અઢારે અંગે ખંડિત કરે છે, કેટલાકને બુઠ્ઠા કેહાડે કરી મારે છે, કેટલાકના કાન–હેઠ–નાક કાપે છે, કેટલાકની આખે-દાંત-વૃષણ–જીભને છેદે છે, કેટલાકના કાન તથા મસ્તક કાપી નાંખે છે, અને વધભૂમિ પર લઈ જઈને તવારથી ટુકડા કરી નાંખે છે. કેટલાકને દેશપાર કરવામાં આવે છે, કેટલાકના હાથ પગ કાપી નાંખીને છોડવામાં આવે છે, કેટલાકને મૃત્યુ સુધી બાંધી મૂકવામાં આવે છે. કેટલાક પરદ્રવ્યહરણમાં લુખ્ય લેકેને હાથ પગમાં બે પહેરાવીને કારાગૃહમાં પૂરી રાખવામાં આવે છે. એ પરદ્રવ્યહારી જનેને તેમનાં સ્વજને ત્યજી દે છે, મિત્રે તેમને તિરસ્કાર કરે છે, તેઓ નિરાશ બની જાય છે, અનેક લેકના ધિક્કારના શબ્દથી લજવાય છે, છતાં તે નિર્લજજ બની ગયા હોય છે. સુધાથી પીડાતા, તાપ-ટાઢની આકરી વેદના સહન કરતા, વિરૂપ મુખવાળા, કાન્તિહીન શરીરવાળા, અફળ ગએલા મરથવાળા, મેલથી ભરેલા દેહવાળા, દુબળા, ગ્લાનિ પામતા,
કરતા, કુષ્ટાદિ વ્યાધિ પામતા, ઉદરરોગથી પીડાતાં ગાત્રોવાળા, નખ-કેશ-દાઢી-મૂછ–રમાદિ જેના બાંધેલા છે તેવા, પિતાના મળ-મૂત્રમાં રગદોળાતા ચોર લેકે ત્યાં જ-કારાગૃહમાં જ મૃત્યુને નહિ ઈચ્છતા છતાં મરણ પામે છે, પછી તેમના હાથ-પગ બાંધીને કારાગૃહમાંથી તેમને બહાર ઘસી કાઢે છે અને ખાઈમાં ફેંકી દેવામાં આવે છે, જ્યાં વરૂ,