________________
૩૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ફળ-ફુલ, કંદ, મૂળાદિ પાકી નીકળ્યાં છે માટે તે સગાંસંબંધીઓને માટે લઈ લો અને સંગ્રહ કરે; ડાંગર, ચોખા, જવ વગેરે લણ, ખંડા, ઉપણા અને જલ્દી કે ઠારમાં ભરે; નાનાં-મોટાં વહાણેના સાથને હણ-લૂટે, લશ્કર લઈને નીકળો, ઘોર જંગલમાં જાઓ, લડાઈ ચલાવે, બાળકને ગાડાં વગેરે હાંકતાં શીખ, મુંડન-વિવાહ-યજ્ઞાદિ અમુક દિવસે કરો કારણકે તે દિવસ સારે છે, કરણમુહૂર્તનક્ષત્ર-તિથિ સારાં છે; આજે સ્નાન કરે, આનંદ પૂર્વક ખાઓ-પીઓ, ન્હાઓ-ધુઓ, મંત્ર-મૂલાદિથી સંસ્કારિત કરેલા જળવડે સ્નાન કરે, શાન્તિ-કર્મ (હવનાદિ) કરે, સૂર્ય—ચંદ્રના ગ્રહણનાં ફળ તથા માઠાં સ્વપ્નાદિનાં ફળ આવાં છે એમ કહે, સગાં-વહાલાં માટે, પોતાના જીવનની રક્ષા માટે (બકરાં વગેરેના) મસ્તકનો ભાગ ચંડિકાદિ દેવદેવીઓને ચડાવે, કષ્ટ નિવારવા નિમિત્તે વિવિધ પ્રકારની ઔષધીઓ, મદિરા, માંસ, ભાનપાન, પુષ્પમાળા, ચંદનાદિને લેપ દેવોને ધરે, ઉજવળ દી કરે, સુગંધી ધૂપ સળગાવે, ફૂલ-ફળથી સંપૂર્ણ એવી દેવતાની પૂજા કરે, અને એમ બહુવિધ હિંસાથી વિદને ટાળ; વિપરીત પ્રકા૨ના ઉત્પાત, ભંડાં સ્વપ્નાં, માઠાં શકુન, ગ્રહની માઠી ચાલ, અમંગળ નિમિત્તના દેષ, એ બધું નિવારવાને માટે અમુક પ્રકારના હિંસક અનુષ્ઠાન કરે; અમુકની આજીવિકા કાપી નાખો, એને કશું પણ દાન આપશો નહિ, ભલે માર્યો, ભલે છે, ભલે ભે; આ પ્રમાણે વિવિધ પ્રકારને પાપકારી ઉપદેશ કરનારાઓ મન-વચન-કાયાએ કરી મૃષાવાદનું પાપ કરે છે.