________________
જિતાયુકવા .
[ એવા છે .
સૌ સખીને રે જે જે સુખ, દુઃખ તે મારે રે, કહે કોમળ હૃદયના કંથ, ટળશે જ્યારે રે ? થાય રટણ દિવસ ને રાત, અન્ન ન ભાવે રે, - પાશે રે નંદનલાલ, આણે આવ્યે રે. હું છું તમથી રે બહુ દૂર, આવું ઉડી રે, જોઈ પંથ હું થાકી કંથ, રન સબુરી છે. આ વિનતિ વાંચી મુજ પ્રાણુ! વેગે વળજો રે, જાણે દાસીત જે દાઝ, આવી મળજો રે. જે ભૂલ ચૂક કાંઈ હોય, મળીને કેજો રે,
મારા પ્રણામ સહસ્ત્રજ વાર, માની લેજે રે. ૨૪ નંદનકુમાર-ટાયેલું પાર પડ્યું કે હજું છે? મહેમું ભૂગળ ભટિયું જોઈને જ મને લાગ્યું હતું જે પારવનું ચિતરેલું હશે, ને નીકળ્યું પણ તેમજ!
પ્રિયવદા–અરે, ઘણે ભાગ તે મૂકી દીધો છે. જે આ બધું એનું જ લખેલું હોય, તો કોઈ ચતુર સ્ત્રી છે, એમાં સંદેહ નહિ. મોરનાં ઈંડાં ચિતરવાં નથી પડતાં; પણ મને નથી લાગતું, કે તમારે ને એને મળતી રાશ આવે. ‘ડુંગરા દૂર થકી રળિયામણું,” કેમ સમજ્યા તમે ?
નંદનકુમાર–હા બધું સમજે. મારે ને એને કોઈ દિવસ મેળ આવવાનો નથી. એ હેટાના ધરની ભારે માથે ચડી વાગે.
પ્રિયવદા–(હસતે મોડે) વાહ નંદન; અરે ! મારે અહિ ખુલાસો કરવો જોઈયે. હું તમને નંદનકુમારને આખે નામે બોલાવતી નથી, તેનું કારણ એ જ કે, મારા પિપટને હું “કુમાર” કહું છું, કેમકે, પિપટ “કુમાર” કહેવાય છે, માટે જે હું તમારા આનંદ પમાડનાર નંદન નામની સાથે કુમાર શબ્દ જે તે તમે પિપટ થઈને ઉડી જાઓ, તે પછી, કયાં ખળતી કરું? વળી, તમારી બુદ્ધિ મેભાગ્ર જેવી છે, એટલે હું કહું છું તે તરત સમજી જાઓ છે. પણ તમે એને હાટાના ધરની કહે છે ત્યારે તમે શું કામ છે ?
નદનકુમાર–એના બાપ એટલે પૈસો નહિ એટલું જ માતર, બાકી કુળમાં તે અમે ચડિયાતા તે. જો ધારું, તે એના જેવી બીજી પાંચ આણું.
પ્રિયંવદા–-વાહરે, ફાંકડા, તમારા દેખાવથી તે આંધળી બેહેડાં ફેડે એમ છે. તે પછી તેમાં કુળ મળ્યું એટલે ના ભૂલતું હોય તે ભૂલે, પણ “આંધળી બેહેડાં ફાડે એને અર્થ સમજ્યા કે નહિ?
*ભના છેડા જેવી ગણી–અર્થાત-જાડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com