________________
દ્રવ્યાનુગ
| [ ૭] છે. પાંચ દર્શને પૈકી દરેકે અંધહસ્તી ન્યાયાનુસાર સ્વદર્શનને, અવયવ હોવા છતાં આખા શરીર તરીકે ગણના કરેલી છે. આ પાંચ દર્શનોમાંથી અજ્ઞાનવાદી, ક્રિયાવાદી અક્રિયાવાદી, વિનયવાદી, સ્વતોનિત્ય, પરત નિત્ય-વગેરે વગેરે અવયેનો પુષ્કળ સંખ્યામાં પ્રાદુર્ભાવ થયેલ છે.
આ સર્વ જૈનેતર દર્શને અને તેના અંશદર્શને વસ્તુને અમુક અંશ સત્યપણે સ્વીકારે છે અને સાથે જ અન્ય શેનો અસ્વીકાર કરે છે. અમુક અમુક નયનું અવલંબન કરી અન્ય નયને દૂર મૂકે છે. આમ હોવાથી જેટલા વચનના વિભાગો પડે છે તેટલા નય થઈ શકે છે અને જેટલા નય થઈ શકે તેટલા દર્શનનું અસ્તિત્વ હોઈ શકે. અજ્ઞાનવાદી વગેરેના વિસ્તારપૂર્વક ત્રણ ત્રેસઠ ભેદ થાય છે, આથી આગળ વધીને અસંખ્ય ભેદો થાય છે. આ રીતે અનેક ભેદોથી ભરપૂર જુદાં જુદાં દર્શને છે, પરંતુ મુખ્યત્વે કરીને પાંચ દર્શનોમાં જૈનેતર દર્શનોનો સમાવેશ કરવામાં આવેલ છે. જૈનદર્શન જિનેશ્વર પ્રભુના મસ્તકને સ્થાને છે. તે હોય તે જ વિચારશ્રેણિ ઉત્પન્ન થઈ અન્ય અવયવોનું નિયામક બની તેમને જીવન આપે છે અને તેમને યોગ્ય ગતિમાં વહન કરાવે છે. જૈનદર્શનનું જેમને સંપૂર્ણ જ્ઞાન છે તેઓ અન્ય દર્શનના સ્વરૂપને બરાબર છણ શકે છે. જૈનદર્શનરૂપ પર્વતના ભવ્ય શિખર ઉપર ચડેલે પ્રાણ અધઃસ્થિત અન્યદર્શનેનું બારીકીથી અવલેન કરી શકે છે. જૈનદર્શનરૂપ હોજમાંથી અન્ય નલિકાઓને પાણું મળી શકે છે પરંતુ તેથી નલિકાને હાજના ઉપનામથી અંકિત કરી શકાય નહિ. હેજમાં પાણીનો જથ્થો અનર્ગલ છે ત્યારે નલિકામાં તેણે જે પ્રાપ્ત કરેલ હોય તેટલા જ પ્રમાણમાં છે આમ હેઇને આપણે પણ જેને દર્શનના “દ્રવ્યાનુયોગ'નું સ્થૂલ સ્વરૂપ નિરૂપણ કરી જૈન દર્શનનું અન્ય દર્શનેનાં મુખ્ય મુખ્ય તરો સાથે કેટલા પૂરતું ભિન્ન ભિન્નપણું છે તે ઉપર જરા પર્યાચના કરીશું. પ્રસ્તુત રીતે જૈન દર્શનની હકીકત રજૂ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org