________________
પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ
[ ૧૨૫ ]
એ આસુરી સોને ક્ષય અને ભવિષ્યમાં ઉદય થતો એ સને ઉપશમ–એવા પ્રકારની ક્રિયા આમામાં ચાલી રહે છે. તેમાંથી સર્વ પ્રકૃતિને ક્ષય થાય તે ક્ષાયિક સમ્યફ ગણાય છે. આવી પરિસ્થિતિમાં જીવને આમતક્ત સંબંધી નિર્ણય થાય છે. તે એમ માને છે કે આત્મા નિત્ય છે, કર્મોને કર્યા છે, સ્વકૃત કર્મોને ભોક્તા છે, મુક્તિ છે અને મુક્તિના ઉપાયો છે; તેને આ સ્થિતિ ચળ મજીઠની જેવી દઢ પ્રતીતિવાળી હોય છે. આવા તને સર્વાગ સત્યપણે પ્રતિપાદન કરતા જિનેન્દ્ર સિદ્ધાંત ઉપર એ પ્રતીતિને પ્રવાહ વહે છે, અને જિન અને જિનદર્શન સિવાય અન્ય સિદ્ધાંતો અપૂર્ણ સત્યવાળા છેતેમ દઢ શ્રદ્ધા પ્રકટે છે. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સમ્યક્ત્વવાન આત્માનું બાહ્ય લક્ષણ શું હોઈ શકે ? અત્ર સ્થાને શાસ્ત્ર જે ઉત્તર આપે છે તે એ છે કે, તે આત્મા સર્વ જીવોને મિત્રભાવે ગણું હિતબુદ્ધિમાં જ સદા તત્પર હોય છે, કદાચ કોઈ પ્રાણ તેનું અહિત કરે તો તે વિચારે છે કે પૂર્વ પરિચિત સંસ્કારને તે પ્રાણ આધીન હોવાથી તેની બુદ્ધિ મારા તરફ વિપરીત ભાવે પરિણામ પામી છે, તેમ જ મને જે અનિષ્ટ પરિણામવાળું ફળ મળ્યું તે પણ મારા પૂર્વ કર્મના ઉદયે જ થયું છે. તે પ્રાણી તે પોતાના અને પરના કર્મના વિનિયોગ માટે નિમિત્ત માત્ર હત–એમ વિચારી તે પ્રાણીનું મનથી પણ અનિષ્ટ ચિંતવે નહિ તેમ જ પરને સુખી જઈ પોતે ખુશી થાય છે. સર્વે સંતુ નિરામયા –મ મૂડ યુતિઃ એ ભાવનાને સતતપણે ધારણ કરે છે; ગણો ઉપર રુચિ થવાથી જ્યાં જ્યાં ગુણીજનેને દેખે અથવા જ્યાં જ્યાં ગુણોના આવિર્ભાવ તેને જાણ્યામાં આવે ત્યાં ત્યાં તેની રોમરાજિ વિકસ્વર થાય છે અને તુરત નમી પડે છે, અને તેની ઉપાસના કરવા મંડી પડે છે. પરંતુ કોઈ પ્રાણીની નિંદા તો કરતા જ નથી. અતિ પાપી જીવ ઉપર પણ સુધારવાને માટે યથાશક્તિ પ્રયાસ કરે છે; છતાં એ મનુષ્યની સુધારણાની યોગ્યતા–પાત્રતા પોતાની શક્તિ ઉપરાંત અસાધ્ય હોય તે તેની ઉપેક્ષા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org