________________
વડ ને વિચાર
[૪૭] જે પ્રસ્તાવના તથા પુરવચન લખી આપ્યા છે તે મારા અપાનાં સાહિત્યની શોભારૂપ બન્યા છે તે બદલ હું હાર્દિક આભાર સાથે અભિનંદન આપું છું. ' તેઓશ્રી જ્ઞાન ધ્યાન સાથે જૈન ધર્મનાં શુભ યિાનુષ્ઠાને પણ એટલા જ રસથી આચરે છે અને એ રીતે જ્ઞાન ક્રિયાને સુમેળ સાધી સાધ્ય સિદ્ધ કરવામાં બાકીનું જીવન આનંદમય, પ્રેમમય, શાંતિમય, આરોગ્યમય પ્રસાર થાઓએ જ શુભેચ્છા. તાલધ્વજ -તીર્થ ભાદ્રપદ શુક્લ અષ્ટમી
શુભેચ્છક, ૨૦૧૭
અમરચંદ માવજી શાહ
વડલે ને વિચાર!
આમ જો, જમણી બાજુ નહિ પણ ડાબી બાજુ. ગઈ કાલે અહીં સામે પેલે વડલે કેવો શોભતો હતો ! એની કેવી મધુરી ઘટાદાર છાયા હતી ! ત્યાં કેટલાં પંખીઓ કિર્લોલ કરતાં હતાં આપણે પણ ઘણીવાર ત્યાં જઈને વિશ્રાંતિ લેતા હતા ખરું ને?
પણ આજ ?
આજ તો ત્યાં પેલો વડલે નથી, પેલી મીઠી છાયા નથી અને ત્યાં આનંદથી નૃત્ય કરતાં પંખી પણ નથી !
આજે એક વાવાઝોડું વાયું ને એ મહાવડલે મૂળમાંથી ઉખડી ગયો !
શું ગઈ કાલે આપણે કે કેઈએ પણ એવી કલ્પના કરી હતી કે, આવતી કાલે આ મહાવૃક્ષ મૂળમાંથી ઉખડી જશે અને પાંચને અને પક્ષીઓને આનંદ આપતા આ વડ, સદાને માટે ભૂતકાળની બીના બની જશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org