________________
[ ૧૨૮ ]
જૈન દર્શન મીમાંસા બાઘનિમિત્ત તરફ ગૌણતા થવાથી અંતર નિમિત્તોમાં આત્માને જોડવાને અવકાશ મળે છે. આવી સ્થિતિમાં કેટલાએક સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે, કેટલાએક વ્રત ગ્રહણ કરે છે, કેટલાએકમાં વૈરાગ્યવાસનાનું આરોપણ થાય છે, કેટલાકની આત્મભૂમિકા શુદ્ધ થાય છે અને કેટલાએકને માત્ર રુચિ પ્રકટે છે. પૂજાના આશયને વારંવાર વિચારતાં એમ જણાય છે કે આવા આલંબને આત્માની નિદ્રાદશા દૂર કરી જાગૃતિ સમર્પે છે, અને ચા સોવે ૩૦ કાન વારે-એ શ્રીમદ્ આનંદઘનજીના પદદ્વારા આત્મજાગૃતિસૂચક અવસ્થાવાળું વાક્યથી થતી જાગૃતિ અનાદિકાળની મેહનિદ્રા દૂર થયા પછીનું જીવનનું વાસ્તવિક પ્રભાત છે, અને તે જ આધ્યાત્મિક પરિમલ છે. આ પરિમલ અંશ સૂરિજીના કવન–આલાપદ્વારા પ્રાપ્ત થયેલ અમારા આત્માએ અનુભવ્યો હતો અને એ રીતે માનવજીવનની ધન્યતા અને છ–“રી પાળતા સંઘના મંગળમય પરિણામને આત્મસંતોષ થયો હતો.
આ. પ્ર. વિ. સં. ૧૯૭૨
यः संसारनिरासलालसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते । यं तीर्थ कथयन्ति पावनतया येनास्ति नान्यः समः ॥ यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते । स्फूर्तिर्यस्य परा वसन्ति च गुणाः यस्मिन् स संघोऽय॑ताम् ॥
જે [સાધુ–સાધ્વી શ્રાવક-શ્રાવિકારૂપ સંઘ મુકિત માટે સાવધાન થાય છે, જેને–પવિત્રપણને અંગે “તીર્થ” કહેવાય છે, જેની તુલનામાં બીજે કઈ નથી, જેને તીર્થંકર પરમાત્મા નમસ્કાર કરે છે, જેથી સપુરુષોનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેમાં ઉચ્ચ ગુણો રહેલા છે–તે સંઘની અર્ચના કરે.”.
સિંદૂરપ્રકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org