________________
[૯૨ ]
જૈન દર્શન મીમાંસા ૨. જૈન દર્શન-તુલનાત્મક દૃષ્ટિએ .. यस्य निखिलाश्च दोषा न संति सर्वे गुणाश्च विद्यते ।
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।। તસ્વાભિલાષી પ્રિય વાચકે !
સંસ્કૃત વાયની દષ્ટિએ તેમ જ જૈન પરિભાષાની દૃષ્ટિએ દર્શન શબ્દ” દેખવું, સમ્યત્વ, સામાન્ય ઉપયોગ વગેરે અનેક પરિભાષાના અર્થોમાં પ્રવર્તમાન છે; પરંતુ પ્રસ્તુત વિષયમાં મુખ્યત્વે કરીને જગતમાં જે છે દર્શન (ધર્મો) પ્રવર્તમાન છે તે ધર્મ અર્થમાં ગણવામાં આવ્યું છે. ષડું દર્શનેમાંનું જૈન એક દર્શન છે. તેને બીજા દર્શનના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો અને આચારોની સાથે સરખામણી પૂર્વક તપાસવા માટે પ્રસ્તુત વિષયને અંગે યથાશક્તિ પ્રયત્ન છે. બની શકે તેવી રીતે પક્ષપાતમય દષ્ટિને દૂર રાખી બીજા દર્શન સાથેના સંબંધમાં જૈનદર્શન માટે તટસ્થ રીતે લખવામાં આવ્યું છે અને સત્ય વસ્તુસ્થિતિ જણાવવામાં આવી છે. - હિંદના પ્રચલિત ધર્મોની સમીક્ષા કરવામાં પાશ્ચાત્ય વિદ્વાનોએ જેના દર્શનને જેટલે અન્યાય આપ્યો છે તેટલો ભાગ્યે જ કોઈ અન્ય દર્શનને આ હશે. જૈનદર્શન સંબંધે તેમણે જે જે કાંઈ લખ્યું છે તે પૈકીને મેટે ભાગ વૈદિક ધર્મના ગ્રંથો ઉપર આધાર રાખીને લખાયેલે હોય તેમ જણાય છે. વૈદિક ગ્રંથકારેએ જૈનધર્મ સંબંધી બાંધેલા નિર્ણ અશુદ્ધ બુદ્ધિથી તેમ જ અપૂર્ણ જ્ઞાનવડે બાંધેલા હેવાથી તેમણે બાંધેલા નિર્ણ અને અભિપ્રાય ઉપર આધાર રાખી પશ્ચિમના વિદ્વાનોએ જૈન દર્શનની સમીક્ષા કરેલ હોવાથી તેમાં જેને દર્શનને અન્યાય મળે એ સ્વાભાવિક છે. વેજબ્રીજ, મેટુઅર્ટ, હોપકિન્સ અને વેબર આદિ યુરોપના સમર્થ વિદ્વાનોએ ઈતર દર્શએ બાંધેલા નિર્ણને સાંભળી એકતરફી અભિપ્રાય ઉચ્ચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org