________________
જૈન દર્શન-તુલનાત્મક દ્રષ્ટિએ *
[૧૦૫ ] જૈન દર્શનથી રહિત ચક્રવર્તિપણું મારે જોઈતું નથી, પરંતુ જૈન ધર્મની વાસનાથી વાસિત થયા પછી ભલે દાસત્વ અથવા નિર્ધનપણું પ્રાપ્ત થાય તો પણ મને તેમાં ઉત્કૃષ્ટ આનંદ છે.”
जिनधर्मविमुक्तोऽपि माऽभूवं चक्रवर्त्यपि ।
स्यां चेटोऽपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः ।। જે ચાર પાયા ઉપર જૈન દર્શન સ્થિર થયેલું છે તે દાન, શીલ, તપ અને ભાવ છે. દ્રવ્યને શુભ કાર્યમાં ઉપગ એ દાનદષ્ટિ, વિશુદ્ધ આચાર તે શીલદષ્ટિ, વિલાસીપણું ઉપર સંયમ એ તપદષ્ટિ, અને એ સર્વમાં શુભ અને શુદ્ધ વિચારપૂર્વક પ્રવર્તમાન થવું એ ભાવદષ્ટિ-સંક્ષિપ્તમાં છે. આ સિવાય ધ્યાન અને યોગ તથા મન, વચન અને શરીરના શુભ વ્યાપાર એ સંબંધમાં વિશાળ દષ્ટિબિંદુથી જૈન દર્શન સમર્થન આપતું રહ્યું છે.
અદ્વૈતવાદની દષ્ટિએ જૈન દર્શને જીવાત્માને એક માને છે, તેમ જ વૈતવાદની દષ્ટિએ જીવાત્માને અનેક પણ માને છે. સર્વ જીવોના પ્રદેશ સરખા હોઈ, સર્વ જીવોમાં મુક્તિ પામવાની શક્તિ રહેલી છે તે અપેક્ષાએ એક માને છે, અને વ્યક્તિ પર જુદા જુદા હોય તે દષ્ટિએ અનેક પણ માને છે. આ રીતે જીવાત્મા પરમાત્મા થતાં એક અને અનેક જુદી જુદી દષ્ટિએ—અપેક્ષાએ મનાય છે સાત ને અને સપ્ત ભંગીઓનું સ્વરૂપ આ રીતે સ્યાદ્વાદના પાયા ઉપર રચાયેલું છે. | વેદાન્ત પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણનું સ્વરૂપ અંગીકાર કરે છે, તેને મુકાબલે જૈન દર્શન કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કર્મ એ પાંચ કારણે પ્રત્યેક પદાર્થોની ઉત્પત્તિમાં માને છે અને ઘટાવે છે, પરંતુ તેમાં ઉદ્યમને મેખરે મુકે છે. બળવાન આત્મા ઉદ્યમને અંગીકાર કરી બીજા કારણેના બળને શિથિલ કરતો જાય છે અને આત્મબળવડે ઉદ્યમનું સામ્રાજ્ય થતાં, કર્મોના બંધનોને વિનાશ કરી પૂર્ણ સ્વતંત્રમુક્ત બને છે. જેની તીર્થભૂમિઓ ખાસ કરીને મહાત્માઓના પાદરેણુના સ્પર્શથી પવિત્ર થએલી હોય છે, તેમાં શત્રુંજય, આબુજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org