________________
( ૧૦૬ ]
જૈન દર્શન મીમાંસા
તારંગાજી, ગિરનાર, સમેતશિખરજી, પાવાપુરી વગેરે મુખ્ય છે. આ સ્થાને પવિત્ર હોઈને પ્રાણીઓના દુષ્ટ વાતાવરણને નિર્મળ કરી આત્માઓને ઉન્નતિક્રમમાં મૂકે છે. આ રીતે સ્થાનની પ્રધાનતા પણ જૈન દર્શન ઘણા અંશેમાં સ્વીકારે છે અને તેમ હોઈ મનુષ્ય પ્રાણીના વ્યવહાર પલટામાં તેમ જ આધ્યાત્મિક ક્રમવિકાસમાં સુંદર વાતાવરણ અર્પે છે–એમ જેને માને છે. નિશ્ચય અને વ્યવહાર જૈન દર્શનમાં બે મુખ્ય સુત્રો છે. નિશ્ચય એ આદર્શ છે અને તેને પહોંચી વળવા માટેની ક્રિયા તે વ્યવહાર છે. તે ક્રિયા નિશ્ચય આદર્શને અનુકૂળ હોવી જોઈએ. આમાં વ્યવહારમાં સ્ત્રી વિરુદ્ધ યો–એ વાક્ય વડે કપ્રિયતા તપાસવાની પણ દષ્ટિ છે, પરંતુ જ્યાં જ્યાં આમધર્મને ક્ષતિ પહોંચતી હોય ત્યાં લેકવ્યવહારથી અલગ વવાનું પણ જ્ઞાનસાર અષ્ટકમાં ફરમાન છે.
જેનો આદર્શ સંપૂર્ણ અહિંસા અને સંપૂર્ણ સત્યને છે, પરંતુ વ્યવહારમાં તે આદર્શનું સંપૂર્ણ પાલન અશક્ય હોવાથી અમુક મર્યાદાશીલ छूटछाट साथे प्रियं पिथ्यं वचस्तथ्यं वचः सत्यमुदीरितं એ શબ્દો વડે સત્યની મર્યાદા મુકરર કરેલી છે.
જૈનદર્શનના આચાર્ય શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી તથા શ્રી આનંદઘનજી વગેરેએ જૈન દર્શન કેટલું વિશાળ હૃદયવાળું છે તેમ જ મસહિષ્ણુતાથી સુરંગિત છે, તે સારી રીતે પુરવાર કરી બતાવ્યું છે. રામ #દો रहेमान कहो, कहान कहो, महादेवरी, पारसनाथ कहो, कोउ ત્રા મઠ ત્રાં સ્વયમેવરી-આ શબ્દ જૈન દર્શનનું પરમાત્મા તરફની માન્યતાનું કેટલું વિશાળપણું સૂચવે છે? વળી–ઘદર્શન જિન અંગ ભણજે, ન્યાય પડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણું ઉપાસક પદર્શન આરાધે રે–એ પણ તેવી જ ઉદારતાથી સૂચવ્યું છે. અને દર્શનને સ્યાદ્વાદ દષ્ટિથી સમજાવતાં કહ્યું છે કેસાંખ્ય અને યોગદર્શન–એ જિનેશ્વર રૂ૫ પુરુષના બે પગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org