________________
*
*
* *
* * *
*
*
*
ચરણકણુનાગ
[ ૮૩ ] यदायदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहं ॥
હે અર્જુન વૈકુંઠમાં ગયા પછી જ્યારે જ્યારે આર્યધર્મની ક્ષતિ જોવાય છે અને અધર્મની વ્યાપકતા દષ્ટિગોચર થાય છે ત્યારે હું પુનઃ અવતાર ધારણ કરું છું. ”
પ્રસ્તુત સ્થિતિમાં જૈન દર્શનના સિદ્ધાંતાનુસાર રાગ અને દ્વેષરૂપ ભવબીજેનું દહન થયેલું હોવાથી બીજના દહન પછી જેમ વૃક્ષના ઉત્પન્ન થવાની આશા વ્યર્થ છે તેમ સિદ્ધ જેવો સંસારરૂપ દુઃખાગારમાં પુનઃ પ્રવેશ કરે-એ સર્વ પ્રકારે અસંભવિત જ છે. જૈન દર્શનને ચતુર્થ અનુગ કે જે નિર્વાણપદના મુકુટને તૃતીય રત્નરૂપે અલંકૃત કરે છે, તે જ્ઞાન, વિરતિ અને મુક્તિના સાધ્ય-સાધન અને ઉપાય-ઉપેયના પૂર્વોક્ત સંબંધ સાથે અત્ર પૂર્ણ કરવામાં આવે છે. અને શ્રીમદ્ ઉપાધ્યાયજીના વચનમાં ચારિત્ર શબ્દને વ્યાકરણ દષ્ટિએ પદચ્છેદ કરતાં કહેવામાં આવે છે કે,
ચય જે આઠ કર્મને સંચય રિકત કરે છે તેહ, ચારિત્ર નામ નિરુતે ભાખ્યું–તે વંદુ ગુણ ગે;
રે ભવિકા સિદ્ધચક્ર પદ વદે (૧)
जिनधर्मविमुक्तोऽपि माभूवं चक्रवर्त्यपि ।
स्यं चेटोऽपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः ।। “જિનધર્મથી રહિત ચક્રવર્તીપણું મારે જોઈતું નથી, પરંતુ જિનધર્મવાળું દાસત્વ મળે તે પણ સંતોષ માનીશ.”
યોગશાસ્ત્ર-શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org