________________
ચરણકરણાનુગ
[ ૮૧] આ ધ્યાન ચરમ કેવલી થયા પછી વિચ્છેદ ગયેલું છે. આ ધ્યાનના વજ ઋષભનારા સંધયણવાળા માત્ર અધિકારીઓ છે. કહ્યું છે કે –
इदमादिम संहनना एवालं पूर्ववेदिनः कर्तु । स्थिरतां न याति चित्तं कथमपि यत्स्वल्पसत्त्वानां ।।
“પ્રાકૃત પ્રાણીઓનું ચિત્ત આ ધ્યાનને માટે લાયક નથી; કેમકે ચિત્ત ધૈર્ય તેમને હોતું નથી. માટે પ્રથમ સંઘયણવાળા પૂર્વધર વગેરે આ ધ્યાનના અધિકારીઓ હોઈ શકે છે.”
આ ઉપરાંત દિ પાંચ સમિતિ, મન આદિ ત્રણ ગુપ્તિઓ, સુધા આદિ બાવીશ પરિસહ, અનિત્યાદિ બાર ભાવના, સામાયિકાદિ પાંચ ચારિત્રો, મૈત્રી આદિ ચાર મહાભાવનાઓમાં સાધુજનોને નિરંતર રમણ કરવાનું છે. ચારિત્રના આ સર્વ અંગે વિસ્તાર શાસ્ત્રોમાં ઘણજ છે, ચારિત્રની વ્યાખ્યા કરતાં કહેવામાં આવે છે કે—
पंचमहाव्रतमूलं समितिप्रसरं नितांतमनवद्यम् । गुप्तिफलभारननं सन्मतिना कीर्तितं वृत्तं ।।
ચારિત્રરૂપ વૃક્ષની જડ પાંચ મહાવ્રત છે, શાખા પાંચ સમિતિ છે, અને ફળ ત્રણ ગુપ્તિ છે” ચરણકરણનગની આ ક્રિયાઓના સંસ્કાર દ્રઢ થવાથી મનેબલ ઘણું જ ઉચ્ચ અને વિશાળ પ્રદેશાવગાહી બને છે. સંયમની આ સર્વ શુભ ક્રિયાઓ શુદ્ધ અને ઉત્પાદક શક્તિથી ભરપૂર હેવાથી જ્ઞાન દર્શનની રમણતારૂપ ચારિત્રનો આભા અધિકારી બને છે. મુક્તિ કે જેને અનેક દશનોએ જુદા જુદા કારણે માનીને કાર્યરૂપે એક માનેલી છે, તે જૈન દર્શનની અપેક્ષાએ અનંતકાળ આત્માની જ્ઞાન દર્શનમાં રમણતા અને આત્માના સંસારીપણાના આત્યંતિક ક્ષયરૂપે છે. આ મુક્તિનું વાસ્તવિક સ્વરૂપ છે. શાસ્ત્રકાર તેથી જ કહે છે કે –
अयमात्मैव संसारः कषायेंद्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org