________________
-
-
-
ચરણકરણનુગ
[ ૭૯ ] “ભગવતીસૂત્રમાં કહ્યું છે કે એકૅકિયે અવિરતિ હોવાથી તેમને પાંચ ક્રિયાઓ અને અઢાર પાપસ્થાનકેથી ઉત્પન્ન થતો ક્ષણેક્ષણે કર્મબંધ પડે છે.”
સાધુજીવન ઘણું જ કઠિન છે. તલવારની ધાર ઉપર નાચતા બાજીગરે તથા લેઢાના ચણાને ચાવી જનાર અવધૂતોનાં કરતાં સાધુ જીવનની કઠિનતા દુર્ભેદ્ય છે. આત્મબળના સામર્થ્ય વડે કર્મબળને તોડી પાડવાની શક્તિવાળા પ્રાણુઓ યથાર્થ ચરણકરણની સાધના કરી મુક્તિ પામી શકે છે. ચારિત્રની પરિપાલનના વડે આત્મા કર્મનો આશ્રવ દૂર કરી સંવરપણું પ્રાપ્ત કરે છે. સંવરપણું પ્રાપ્ત થવાથી નવા કર્મનું આગમન રોકાઈ જવાથી પૂર્વ કર્મની નિર્જરા (દેશ થકી ક્ષય) થતાં સર્વ કર્મની નિજ થવાને સંભવ છે.
ચરણ ક્રિયાનું પાલન કરતા સાધુ જનેને દશ પ્રકારે યતિધર્મ સેવન કરવો પડે છે. તે નીચે પ્રમાણે છે. શાંતિ, આર્જવ, માર્દવ, સંતોષ, તપ, ઈદ્રિયસંયમ, સત્ય, શૌચ, આકિચન્ય અને બ્રહ્મચર્ય. આમાં પ્રથમ ચાર કેધ, માયા, માન અને લેભની નિવૃત્તિથી ઉત્પન્ન થયેલા ગુણો છે. ચાર કષાનું સ્વરૂપ દ્રવ્યાનુયેગના વિષયમાં ઠીક રીતે આવી ગયેલું છે. તપ બે પ્રકારે છે. બાહ્ય અને અત્યંતર અનશન, ઊનેદરીવ્રત, આજીવિકા સંક્ષેપ, રસ ત્યાગ, કાયાકલેશ, અને સંલીનતા -આ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય અને ધ્યાન એ અંતરંગ તપ છે. નમુક્કારસહિથી માંડીને ઉપવાસ પર્યત વ્રત લઈ એટલે જેટલે અંશે આહાર ન કરે તે અનશન. આ અનશન અને ઔનેદ વિગેરે-ઈદ્રિય સંયમરૂપ યતિધર્મને પાલન કરાવવાનું પ્રબળ સાધન છે. બાહ્ય તપ વડે ઈકિય રૂ૫ ઘેડાને વિકારગ કુંઠિત થઈ જાય છે. પૌગલિક ભેગન ખાવા પીવાના તથા ભોગવવાના આત્માના અનાદિ. બધ સંસ્કારને તોડી પાડવાને પ્રબળ કુહાડા સમાન જે કઈ પણ હોય તો તે અનશનાદિ બાહ્ય તપ છે.
સ્મૃતિભંગથી પાપાચરણ થયેલું હોય તેને દંડ ગુજન અથવા વડીલદ્વારા વહેરી લે તે પ્રાયશ્ચિત્ત. પૂજ્ય પ્રતિ ભક્તિભાવનું દર્શન તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org