________________
અન્ય દશને સાથે સરખામણ *
[૬૫] બાહ્યલિંગ વેષાદિની ઝાંખી:-પાંચ દર્શનના બાહ્ય સ્વરૂપલિંગ વેષ વગેરે જુદા જુદા છે. કેટલાક વ્યાઘ્રચર્મ અને કૌપિન રાખે છે, કેટલાક કમંડલુ રાખે છે-વગેરે પોતપોતાની કલ્પના અનુસાર જુદાજુદા વે અંગત થયેલા છે. જૈન દર્શનના સાધુઓ, મુખવસ્ત્રિકા, રજોહરણ, ચલપટો વગેરે રાખે છે. વેપ એ એક મર્યાદા છે. બાહ્ય લિંગ અને આચારને અવગણના કરનાર પ્રાણુઓ મર્યાદા રૂપ પુલને તોડવાને ઉદ્યમવંત થયેલા છે. વર્ષ એ સાધન અને તત્ત્વપ્રાપ્તિ એ સાધ્ય છે. સાધનને સાધ્ય માનવાની ભૂલ એ તે ગંભીર ભૂલ છે. પરંતુ તે સાથે સાધનથી સાધ્યની ઉત્પત્તિ છે એ વાત બીલકુલ ભૂલવા જેવી નથી. આ જમાનાના વક્ર અને જડ પ્રાણીઓને વેષરૂપ મર્યાદા સંપૂર્ણ રીતે આવશ્યક છે. જ્યારે પ્રથમના દઢ મનોબળવાળા જમાનામાં પણ તે . આવશ્યક જ હતું તો આ ડગમગતા અને તુલાની જેમ ક્ષણમાં નીચે નમી જતા જમાનામાં કેમ તેની આવશ્યકતા દઢપણે ન સ્વીકારાય ? જૈન દર્શનને બાહ્ય વેષ એ એવું સાધન છે કે તત્રસ્થિત પ્રાણીઓને સર્વદા ચરણકરણનુગમાં તલ્લીન રાખે અને તત્ત્વની ગણા નિરંતર પણે મરણગે ચર રખાવી શકે. સંસારી સંબંધવાળા વેષને તજી વૈરાગ્યવાસનાવાળા વેષનું અંગીકાર કરવું–એ સદાચરણની મજબૂત વાડ છે, એમ એક વિદ્વાને કહેલું છે.
કેટલાંક પ્રાણીઓ સર્વ દર્શનોને તુલ્ય માને છે. તેઓ આક, નિબ, પિપ્પલ, આંબા વગેરે વૃક્ષને તુલ્ય માનવા જેવી મોટી ભૂલ કરે છે. કઈ પણ દર્શનની નિંદા કરવાનું પ્રયોજન તો હૃદયમાં કદાપિ આરૂઢ થવું ન જોઈએ. પરંતુ મધ્યસ્થષ્ટિએ વિચારવું જોઈએ કે તેઓ શુદ્ધ તત્તની ખોજમાં પણ વાસ્તવિક રીતે શુદ્ધ તત્વોની પ્રાપ્તિથી દૂર રહેલ છે. જેનેતર દર્શને જૈન દર્શનની રમ્ય વાટિકાની લહેરેથી શૂન્ય છે એમ કહેવું અવાસ્તવિક નથી. જો કે જૈન દર્શન વાટિકાની આનંદદાયક લીલેરી તેમાં ઉગેલી છે, પરંતુ બીજી પ્રતિઘાતક વિષમય લલિતરી પાસે જ હોવાથી સર્વાગ વિષમય કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org