________________
દ્રવ્યાનુગ
[ ૩૧] સંસ્કાર ગાઢ થઈ જતા હોવાથી એક શત્રુને પિતાના મસ્તક ઉપર ઝઝુમતે કરે છે ક્ષમા અને સહનશીલતા એ બંને સગુણુ ક્રોધને પ્રત્યુપાય છે એમ જ્ઞાનીઓએ પુકારીને કહેલું છે.
માન કષાય –ગૌતમ કુલકમાં કહેવામાં આવેલું છે કે મifસળોસોચત-અહંકાર કરવાની ટેવવાળા પુરૂષો આખરે શાચ પામે છે દુનિયામાં માન ધરાવનારને કઈ માન આપતું નથી, કીર્તિની પાછળ દોડનારને તે પ્રાપ્ત થતી નથી. અભિમાન કરનાર પ્રાણી પિતે કપેલા શિખર ઉપરથી કેવી રીતે પડે છે તે આપણે દુનિયાના વ્યવહારમાં અનેકવાર જોઈએ છીએ. ઉપમિતિ ભવ પ્રપંચના કર્તા, માનીને એક શિલરાજ સાથે સરખાવે છે. આ પર્વત ઉપર ચડીને
જ્યારે આ જીવ બેસે છે ત્યારે તેના વિનય વગેરે ગુણે નાશ પામે છે, અને તે પર્વત ઉપર રહેલી આઠ મદ રૂ૫ ટેકરીઓ શુદ્ધ સ્વરૂપને અદશ્ય રાખે છે. સિંદૂરપ્રકરમાં મનને હસ્તીની ઉપમા આપી છે. કર્તાના કહેવા મુજબ માનરૂપી મત્તગજે સમતા રૂપ બંધન તેડી નાખનાર છે, વિમલમતિનો વિનાશ કરનાર છે, દુર્વચનરૂપી ધૂળને તરફ વિસ્તારે છે. અને સિદ્ધાંતની અવગણના કરનાર છે. શ્રીમદ્ ચિદાનંદજી કહે છે કે, “લઘુતા મેરે મન માની, લઈ ગુરુ ગમ જ્ઞાન નિશાની” મદને માટે બાહુબલજીનું દષ્ટાંત મનનીય છે. દીક્ષા લીધા પછી નાના ભાઈઓને ન વાંદુ એવો આગ્રહ રહ્યો ત્યાં સુધી કૈવલ્ય પ્રાપ્ત થયું નહિં. એક વર્ષ સુધી એવી સ્થિતિમાં રહ્યા પછી “વીરા મારા ગજ થકી ઉતરે, ગજ બેઠા કેવળ ન હોવે રે.” એવા ધ્વનિવાળા બ્રાહ્મી અને સુંદરીને શબ્દ સાંભળતાં જ કદાગ્રહ બુદ્ધિનો વિનાશ થયો અને વંદન કરવા જાઉં–એવી ભાવના પછી તુરત જ કૈવલ્ય ઉત્પન્ન થયું. મદના આઠ પ્રકારે રોગશાસ્ત્રમાં નીચેના સ્લેકથી દર્શાવેલા છે.
जातिलाभकुलैश्वर्य बलरूपतपःश्रुतैः । कुर्वन्मदंपुनस्तानि हीनानिलभतेन ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org