________________
------
# #
-
-
[૫૪]
જૈન દર્શન મીમાંસા જૈનદર્શનના સિદ્ધાંતમાં અન્ય દર્શનોનું
અવતરણ બૌદ્ધદર્શન -જૈનદર્શનસ્થિત દ્રવ્યાનુયોગનું સંક્ષિપ્ત સ્વરૂપ પૂર્ણ થયું. પૂર્વે જણાવેલા નિયમાનુસાર અન્ય દર્શનેનાં સિદ્ધાંતોનું અવલોકન કરી તેમનું જૈન દર્શનમાં કેટલે અંશે અવતરણ છે તે હવે તપાસવાની આવશ્યકતા છે. જે જે સરખામણી હવે પછી કરવામાં આવશે તે તે દર્શનેના બાહ્ય આચાર અથવા વેષને અંગે નથી, પરંતુ તેમના સિદ્ધાંતના મૂળ ભેદોને આશ્રીને છે. પૂર્વોક્ત પ્રકારે છ દર્શનેમાંથી જૈન દર્શનને બાદ કરતાં પાંચ દર્શનનાં નામ દર્શાવેલાં છે તેમાં પ્રથમ દર્શનાનુયાયી બૌદ્ધો ચાર જાતિના છે. વિભાષિક, સૌત્રાંતિક, ગાચાર, માધ્યમિક
વૈભાષિકે:-વસ્તુને ક્ષણસ્થાયિ-ક્ષણવિનાશી માને છે એટલે કે ઉત્પત્તિ જન્મ આપે છે. સ્થિતિ સ્થાપે છે, જરા જર્જરિત કરે છે, અને વિનાશ નાશ કરે છે, તેમ આત્મા પણ તેવો જ છે. અને તે પુદગલ કહેવાય છે.
સૌત્રાંત્રિકે:-રૂ૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર એ પાંચ કંધ શરીર ધારીને છે પણ આત્મા જેવું કાંઈ નથી. આ સ્કંધ પરલેકમાં પણ જાય છે–આ પ્રકારે માને છે.
ગાચાર–આ જગતને વિજ્ઞાન માત્ર માને છે. વાસનાના પરિ. પાકથી નીલ પીતાદિ વર્ણોને ભાસ થાય છે. આલય વિજ્ઞાનને સર્વ વાસનાઓને આધાર માને છે. અને એ આલયવિજ્ઞાનની વિશુદ્ધિને મેક્ષ કહે છે.
માધ્યમિક:-આ સર્વ શન્ય સ્વમ તુલ્ય માને છે. મુક્તિને પણ ન્ય માનવાથી તે પ્રાપ્ત થાય છે. તેઓ પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણે માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org