________________
[૧૮]
જૈન દર્શન મીમાંસા કર્મોને આવવાને પ્રકાર :–
મિથ્યાત્વ, અવત, કષાય અને યોગ-આ ચાર આત્માને કર્મબંધ થવાના કારણરૂપે છે. આ ચારનું સમગ્ર નામ જૈન પરિભાષાએ આશ્રય કહેવાય છે. આશ્રવને એક ગરનાળાંની ઉપમા આપીએ તે કર્મરૂપ મલિન પાણીને આવવાને માર્ગરૂપ આશ્રવ છે. આ મલિન પાણી વડે આત્મારૂપ સ્ફટિક મલિનતાને પામ્યો છે. આત્માને અસંખ્ય પ્રદેશ છે તે મધ્યે આઠ ચક પ્રદેશોને તે કર્મોનું આવરણ કદાપિ થતું નથી એટલે તેઓ સદાને માટે નિર્મળ છે, તેવાજ છે અને રહેશે, આ હેતુથી આત્મા સર્વાશ કર્નાવરણથી આવૃત્ત થતો નથી અને તે હેતુથી જ આત્મા અજીવ (અનાત્મા) કદાપિ થઈ શકતો નથી. હવે કર્મોના સ્વભાવાનુસાર આત્માને અનેક જન્મ ધારણ કરી જુદે જુદે નામે ભવસ્થિતિ કરવી પડે છે તેનું અવલોકન કરીએ. આત્માના સંસાર દષ્ટિએ અનેક પ્રકારો :
ઈદ્રિય વેગની અપેક્ષાએ આત્માના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિંદ્રિય અને પંચંદ્રિય. એકે દિયના પાંચ ભેદ છે. પૃથ્વીકાય, અપકાય, તેજમૂકાય, વાયુકાય અને વનસ્પતિકાય. તે સૂક્ષ્મ અને બાદર બે પ્રકારે છે. સૂક્ષ્મને કેવળજ્ઞાનીઓ ફક્ત દેખી શકે છે, તે ચૌદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. બાદર પૃથ્વીકાય તે ખાણમાં રહેલું સેનું, રૂપું, વિગેરે ધાતુઓ, શસ્ત્ર નહીં લાગેલી ભાટીઓ અને પાષાણે છે. બાદર અપકાય તે વરસાદનું તથા સરોવરનું જળ વિગેરે. બાદર અગ્નિકાય વિજળી, અંગારા વિગેરે, અને બાદર વાયુકાય તે પવન છે. વનસ્પતિકાય બે પ્રકારે છે. પ્રત્યેક અને સાધારણ, સૂમ સાધારણ વનસ્પતિકાય જે નિગોદ કહેવામાં આવે છે આ નિગોદ એ આત્માની જાન્યતમ અપક્રાંતિ છે. એક શ્વાસોચ્છવાસ જેટલા સમયમાં સાડાસત્તર વખત જન્મ મરણ કરવું પડે છે. બાદર સાધારણ વનસ્પતિકાયમાં એકજ શરીરમાં અનંત જ રહે છે. જેમકે સૂરણ, આદુ વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org