________________
દ્રવ્યાનુયોગ
[૨૫]
શબ્દો ગ્રહણ કરવા પડે છે, અને તે શબ્દો સંભળાય ત્યાં સુધી-આટલી મર્યાદા સુધી-મતિજ્ઞાનના વિષય છે, અને પછીથી જે રહસ્ય પરિણમે છે તે શ્રુતજ્ઞાનને વિષય છે. મતિ અને શ્રુતની અવસ્થા ભેદે ભિન્નતા છે. કેમકે બંને સાથે જ હોય છે. ઉપમિતિ ભવપ્રપ ચા કથામાં શ્રુતજ્ઞાનને સદાગમ કહેલું છે. સમ્યક્ત્વ બીજને ઉત્પન્ન કરે તેવા અથવા સમ્યક્ત્વ બીજને વૃદ્ધિ કરનાર જે આગમા હોય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અન્ય શ્રુત અજ્ઞાન કહેવાય છે; જેમકે સમ્યક્ત્વ વગરના નવપૂર્વીની અજ્ઞાનીમાં ગણના થયેલી છે. આત્માને જ્ઞાન થવાનું સ્થૂળ સાધન જે આગમ તેમાં કારણમાં કા ને ઉપચાર કરવામાં આવેલ છે. આ જ્ઞાનના ચૌદ
અથવા વીશ પ્રકાર છે.
અક્ષર-અનાર, સન્ની—અસરી, સમ્યક્−મિથ્યા, સાદિ-અનાદિ, સપ વસિત-અપ વસિત, ગમિક—અગમિક, અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય આ ચૌદ ભેદ છે. અને પર્યાય, અક્ષર. પદ, સધાત, પ્રતિપત્તિ, અનુયાગ, પ્રાભુત, પ્રામૃત પ્રાભુત, વસ્તુ અને પૂ-એ દશ ‘સમાસ' સાથે વધારતાં વીશ પ્રકાર છે. પ્રથમના ચૌદ ભેદ અક્ષર, ધ્વનિ, સંજ્ઞા વિગેરે ભેદેથી છે, પાછળના વીશ ભેદ આગમના અક્ષરા, વાયા, પ્રકરણા વિગેરેને અગે છે. જેટલે જેટલે અ ંશે આગમતુ અપનપણું અથવા સત્તા, ઉપદેશ, આકાર વિગેરેથી થતી અલ્પ પરિના તેટલે તેટલે અંશે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનું સહચારીપણું છે
અવધિજ્ઞાન:—આ જ્ઞાન અને હવે પછીનાં અને જ્ઞાના પૂર્વોક્ત ઉભય જ્ઞાનથી ભિન્ન કૅાટિમાં વર્તે છે. મતિ અને શ્રુતજ્ઞાન ઈંદ્રિય પ્રત્યક્ષ છે જ્યારે અવધિ આદિ ત્રણ નાના આત્મપ્રત્યક્ષ છે.
અવધિજ્ઞાનીને ઇંદ્રિયાદ્વારા વિષય ગ્રહણ કરવાની જરૂર હૈાતી નથી. તેને તા એક એવા પ્રકારનું અમુક મર્યાદાવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે, જેથી ઉપયાગદ્વારા રૂપી પદાર્થાને જાણી શકે છે. અવધિજ્ઞાન, રૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org