Book Title: Jai Viyaray
Author(s): Vijayhemchandrasuri
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 11
________________ પ્રસ્તાવના ઘણા સમય પૂર્વે શરૂ કરેલ ‘જયવીયરાય સૂત્ર' પરનું વિવેચન દેવ-ગુરુ-ધર્મના અચિંત્ય પ્રભાવથી પૂર્ણાહૂતિને પામેલ જૈનસંઘમાં પ્રભુપૂજા-ચૈત્યવંદન દૈનિક આવશ્યક છે. હંમેશ હજારો પુણ્યાત્માઓ પ્રભુપૂજા-ચૈત્યવંદનની આરાધના કરે છે. તેઓને આમાં ભાવની વૃદ્ધિ થાય તથા બીજા પુણ્યાત્માઓ પણ આરાધનામાં જોડાય એ માટે પ્રસ્તુત પ્રયાસ કરેલ છે. ચૈત્યવંદનમાં સામે પ્રતિમાજીના માધ્યમથી જિનેશ્વરદેવને વંદના કરાય છે. આ વંદનામાં જેટલો ભાવ ઉત્કૃષ્ટ પ્રાપ્ત થાય તેટલી જબરદસ્ત કોટિની કર્મનિર્જરા થાય, સાથે પુણ્યાનુબંધિ પુણ્યનો બંધ થાય. વંદનાનું અમાપ ફળ છે. આ વંદના માટેના સૂત્રો ગણધર ભગવંતોએ નિર્માણ કરેલ છે, અત્યંત ભાવવાહી છે. સૂત્રોના એક એક પદો પણ ખૂબ જ ભાવો અને રહસ્યોથી ભરેલા છે. જો અર્થ વગેરે સમજીને એકાગ્રતા સાથે કરાય તો પ્રભુ પ્રત્યેના અત્યંત ભક્તિભાવને હૃદયમાં ઉભો કરવા સમર્થ છે. અનેક પુણ્યશાળી જીવોએ આ ચૈત્યવંદન દ્વારા જબરજસ્ત દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિને પ્રાપ્ત કરી છે. અત્યંત ભાવપૂર્વક પ્રભુને વંદન-સ્તવના કર્યા પછી અંતે ‘જયવીયરાય સૂત્ર’ બોલાય છે. આ સૂત્રને પ્રણિધાન સૂત્ર કહેવાય

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 294