________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫
કરીને એટલે કે ફેરફાર કરીને પણ કરતો નથી. માત્ર જેને પ્રાપ્ત કરે છે તે ક્તનું પ્રાપ્ય કર્મ છે, એમ કહ્યું તેમાં પણ પર્યાયનું કમબધ્ધપણું આવી ગયું. દ્રવ્ય પોતાની ક્રમબધ્ધપર્યાયને સમયે સમયે પ્રાપ્ત કરે છે–પહોંચી વળે છે.
ત્યાર બાદ પુણ્ય-પાપ અધિકારની ગા. ૧૬૦ “સો સવMIણ રિસી' માં કહ્યું કે આત્મદ્રવ્ય પોતે જ “જ્ઞાન” હોવાને લીધે વિશ્વને (સર્વ પદાર્થોને) સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે.....પણ પોતાના પુરુષાર્થના અપરાધથી સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને (અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞયોને જાણનારા એવા પોતાને) જાણતું નથી તેથી અજ્ઞાનભાવે વર્તે છે. અહીં ““વિશ્વને સામાન્ય-વિશેષપણે જાણવાનો સ્વભાવ'' કહેતાં તેમાં ક્રમબધ્ધપર્યાયની વાત પણ સમાઈ ગઈ. જીવ પોતાના સર્વજ્ઞસ્વભાવને જાણતો નથી તેથી જ અજ્ઞાની છે. જો પોતાના સર્વજ્ઞસ્વભાવને જાણે તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ જાય ને અજ્ઞાન રહે નહિ.
આસ્રવઅધિકારમાં ગા. ૧૬૬ માં “ “પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે'—એમ કહ્યું ત્યાં યોનું ક્રમબદ્ધપણું આવી ગયું.
ત્યાર પછી સંવરઅધિકારમાં ““ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધમાં કે કર્મ-નોકર્મમાં ઉપયોગ નથી'' એમ કહ્યું, ત્યાં ઉપયોગના સ્વપરપ્રકાશક સ્વભાવમાં ક્રમબદ્ધપર્યાયની વાત પણ સિદ્ધ થઈ જાય છે.
પછી નિર્જરા-અધિકાર ગા. ૨૧૬ માં વેધ અને વેદક બંને ભાવોનું ક્ષણિકપણું બતાવ્યું, તે બંને ભાવો કદી ભેગા થતા નથી-એમ કહીને તેનું ક્રમબદ્ધપણું બતાવ્યું. સમયસમયની ઉત્પન્ન-ધ્વંશી પર્યાય ઉપર જ્ઞાનીની દષ્ટિ નથી પણ ધ્રુવ જ્ઞાયકસ્વભાવ ઉપર તેની દષ્ટિ છે, ધ્રુવ-જ્ઞાયક ઉપર દષ્ટિ રાખીને તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે.
ત્યાર પછી બંધ-અધિકારમાં ૧૬૮માં કળશ (સર્વ સવૈવ નિયત..) માં કહ્યું કે આ જગતમાં જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ-બધુંય સદૈવ નિયમથી પોતાના કર્મના ઉદયથી થાય છે; “બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખસુખ કરે છે, આમ જે માનવું તે તો અજ્ઞાન છે. એટલે આત્મા તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, પણ તેનો ફેરવનાર નથી-એ વાત તેમાં આવી ગઈ.
મોક્ષ-અધિકારમાં પણ ગા. ૨૯૭-૮-૯ માં છે કારકોનું વર્ણન કરીને, આત્માનો ‘સર્વવિશુદ્ધચિન્માત્રભાવ' કહ્યો “સર્વવિશુદ્ધચિન્માત્ર કહેતાં સામા યપદાર્થોનાં પરિણામો પણ ક્રમબધ્ધ છે–એમ તેમાં આવી ગયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com