Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 133
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [૩૭] દ્રવ્યને લક્ષમાં રાખીને ક્રમબદ્ધપર્યાયની વાત. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ વસ્તુ પોતે પરિણમીને સમયે સમયે નવી નવી ક્રમબદ્ધ અવસ્થારૂપે ઊપજે છે; વસ્તુમાં સમયે સમયે આંદોલન થઈ રહ્યું છે, પહેલા સમયના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ બીજા સમયે સર્વથા એવા ને એવા જ નથી રહેતા, પણ બીજા સમયે પલટીને બીજી અવસ્થારૂપે ઊપજે છે. એટલે પર્યાય પલટતાં દ્રવ્ય પણ પરિણમીને તે તે સમયની પર્યાય સાથે તન્મયપણે વર્તે છે.-આ રીતે દ્રવ્યને લક્ષમાં રાખીને ક્રમબદ્ધપર્યાયની વાત છે. પહેલી વખતનાં આઠ પ્રવચનોમાં આ વાત વિસ્તારથી સરસ આવી ગઈ છે. (જુઓ, અંક ૧૩૩, પ્રવચન આઠમું, નં. ૧૮૮) [ ૩૮ ] ૫૨માર્થે બધા જીવો જ્ઞાયકસ્વભાવી છે;-પણ આમ કોણ જાણે ? ૧૧૯ બધા જીવો અનાદિઅનંત સ્વ-૫૨પ્રકાશક જ્ઞાયક સ્વભાવે જ છે. જીવના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય વગેરે ભેદો છે તે તો પર્યાય અપેક્ષાએ તથા શરીરાદિ નિમિત્તોની અપેક્ષાએ છે; પણ સ્વભાવથી તો બધા જીવો જ્ઞાયક જ છે.-આમ કોણ જાણે ? કે જેણે પોતામાં જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરી હોય તે બીજા જીવોને પણ તેવા સ્વભાવવાળા જાણે. વ્યવહારથી જીવના અનેક ભેદો છે, પણ પરમાર્થે બધા જીવોનો જ્ઞાયકસ્વભાવ છે, એમ જે જાણે તેને વ્યવહારના ભેદોનું જ્ઞાન સાચું થાય. અજ્ઞાની તો વ્યવહારને જાણતાં તેને જ જીવનું સ્વરૂપ માની લે છે; એટલે તેને પર્યાયબુદ્ધિથી અનંતાનુબંધી રાગ-દ્વેષ થાય છે; ધર્મીને એવા રાગ-દ્વેષ થતા જ નથી. [ ૩૯ ] ‘ ક્રમબદ્ધપર્યાય ’ અને તેના ચાર દૃષ્ટાંતો. અહીં આચાર્યભગવાન કહે છે કે જીવની ક્રમબદ્ધપર્યાયપણે જીવ સ્વયં ઊપજે છે, ને અજીવની ક્રમબદ્ધપર્યાયપણે અજીવ સ્વયં ઊપજે છે, કોઈ કોઈના ર્તા નથી કે ફેરવનાર નથી. પર્યાયનું લક્ષણ ક્રમવર્તીપણું છે, ક્રમવર્તી કહો કે ક્રમબદ્ધ કહો, કે નિયમબદ્ધ કહો; દરેક દ્રવ્ય પોતાની વ્યવસ્થિત ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, આત્મા પોતાના જ્ઞાયકપ્રવાહના ક્રમમાં રહીને તેનો જ્ઞાતા જ છે. (૧) પર્યાય ક્રમવર્તી છે, તે ક્રમવર્તીપણાનો અર્થ ‘પાદવિક્ષેપ’ કરતાં પંચાધ્યાયીની ૧૬૭મી ગાથામાં કહે છે .. __ " अस्त्यत्र य: प्रसिद्धः क्रम इति धातुश्च पादविक्षेपे । क्रमति क्रम इति रूपस्तस्य स्वार्थानतिक्रमादेषः।। 'મ' ધાતુ છે તે ‘ પાદવિક્ષેપ ’ એવા અર્થમાં પ્રસિદ્ધ છે, અને પોતાના અર્થ પ્રમાણે 'મતિ કૃતિ મ:' એવું તેનું રૂપ છે. "" Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176