Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 174
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬) -મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, –તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !' ' જુઓ, આટલા ટુકડામાં કેટલી ગંભીરતા છે !! * સૌથી પહેલાં એમ કહ્યું કે “ જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી''—એ કથનમાં એ વાત પણ ગર્ભિત રાખી છે કે વર્તમાન પ્રગટ નથી પણ શક્તિપણે છે, અને વર્તમાન નથી પણ ભવિષ્યમાં અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ થવાનું છે. * પછી કહ્યું કેઃ “ “ જેના વચનના વિચારયોગ શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે.'' કેવળજ્ઞાન પ્રગટ ન હોવા છતાં કેવળજ્ઞાન પ્રગટવાનું સામર્થ્ય મારામાં છે-એમ જાયું છે, –સ્પષ્ટ જાણું છે એટલે કે સ્વસમ્મુખ થઈને નિઃશંક જાણું છે. કોણે જાણું?-કે વર્તમાનપર્યાયે તે જાણ્યું. સર્વજ્ઞતાનું સામર્થ્ય મારામાં છે એમ પહેલાં નહોતું જાણું, ને હવે, સ્વસમ્મુખ થઈને એટલે પર્યાયમાં નિર્મળતાનો ક્રમ શરૂ થઈ ગયો. મારી શક્તિમાં કેવળજ્ઞાન છે–એમ “સ્પષ્ટ” જાણું છે એટલે કે રાગના અવલંબન વગર જાણ્યું છે, -સ્વભાવના અવલંબનથી જાણ્યું છે, સ્વસંવેદનથી જાણ્યું છે. * જાણવામાં નિમિત્ત કોણ? તો કહે છે કે “ “ જેનાં વચનના વિચારયોગે...જાણું છે'' જેનાં વચન એટલે કેવળીભગવાન, ગણધરદેવ, કુંદકુંદઆચાર્ય આદિ સંતોમુનિઓ, તેમ જ સમકીતિ-એ બધાનાં વચનો તેમાં આવી જાય છે. અજ્ઞાનીની વાણી તેમાં નિમિત્ત ન હોય, સમીતિથી માંડીને કેવળીભગવાન સુધીના બધાયની વાણી અવિરુદ્ધ છે; જેવી કેવળીભગવાનની વાણી છે તેવી જ સમીતિની વાણી છે, ભલે કેવળી–ભગવાનની વાણીમાં ઘણું આવે ને સમીતિની વાણીમાં થોડું આવે, પણ બંનેનો અભિપ્રાય તો એક જ છે. અને“જેનાં વચનના વિચારયોગે જાણ્યું' –એમાં “વિચારયોગ” તે પોતાના ઉપાદાનની તૈયારી બતાવે છે. જ્ઞાનીનાં વચન તે નિમિત્ત, અને તે વચનને ઝીલીને સમજવાની યોગ્યતા પોતાની, –એ રીતે ઉપાદાન-નિમિત્ત બંનેની વાત આવી ગઈ છે. વર્તમાનપર્યાયમાં કેવળજ્ઞાન ન હોવા છતાં, તારા સ્વભાવમાં કેવળજ્ઞાનનું સામર્થ્ય છે એમ જ્ઞાનીનાં વચન બતાવે છે; એટલે તારામાં જે શક્તિ પડી છે તેના અવલંબને તારું કેવળજ્ઞાન પ્રગટશે, બીજા કોઈના (નિમિત્તના કે વ્યવહારના) અવલંબને કેવળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176