________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૫
અહો, એક પર્યાયમાં આસવને સંવર બંને એક સાથે વર્તે, છતાં બંનેના છ કારકો જુદા ! હજી તો બહારનાં કારણોથી આસ્રવ કે સંવર માને તે અંતરના સૂક્ષ્મ ભેદજ્ઞાનની આ વાત કયાંથી સમજે? આસવને કારણે આસ્રવ, ને સંવરના કારણે સંવર, -બંને એક સાથે છતાં બંનેનાં કારણ જુદાં. જો આસવને કારણે સંવર માને તો તે મિથ્યાદષ્ટિ છે.
–એ જ રીતે, વ્યવહાર અને નિશ્ચય બંને એક સાથે “સાધકને” હોય છે; પણ ત્યાં વ્યવહારના કારણે નિશ્ચય માને કે વ્યવહાર-સાધન કરતાં કરતાં તેનાથી નિશ્ચય પ્રગટી જશે-એમ માને તો તે પણ મિથ્યાષ્ટિ છે, તેને આસ્રવ અને સંવર તત્ત્વની ખબર નથી. વ્યવહાર રત્નત્રયનો જે શુભરાગ છે તે તો આસ્રવ છે, ને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે તો સંવર-નિર્જરા છે; આસ્રવ અને સંવર તે બંને ભિન્ન ભિન્ન તત્ત્વો છે, બંનેના કારણ ભિન્ન છે. તેને બદલે વ્યવહારના કારણે નિશ્ચય થવાનું માન્યું તો તેણે આસ્રવથી સંવર માન્યો એટલે આસ્રવ અને સંવર તત્ત્વને તેણે ભિન્ન ભિન્ન ન માન્યા પણ એક માન્યા, તેથી તત્ત્વાર્થશ્રદ્ધાનમાં જ તેને ભૂલ છે, –તે મિથ્યાષ્ટિ
[૩૯]! ક્રમબદ્ધપર્યાયની ઊંડી વાત.
અહીં તો જ્ઞાયકદષ્ટિની સૂક્ષ્મ વાત છે. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિમાં જ્ઞાની નિર્મળ પર્યાયના જ ક્તપણે પરિણમે છે. બીજા કારકોથી નિરપેક્ષ થઈને, પોતપોતાના સ્વભાવના જ છએ કારકોથી શ્રદ્ધા-જ્ઞાન-આનંદ વગેરે અનંતગુણો જ્ઞાયકના અવલંબને નિર્મળ ક્રમબદ્ધ-પર્યાયપણે જ્ઞાનીને પરિણમી રહ્યા છે; આનું નામ અપૂર્વ ધર્મ છે, ને આ જ મુક્તિનો માર્ગ છે. જ્ઞાયક સ્વભાવના જ અવલંબન સિવાય, રાગના કે વ્યવહારના અવલંબને મોક્ષમાર્ગ માને તો તે જીવ આત્માના જ્ઞાયકસ્વભાવને, કેવળીભગવાનને કે સાતતત્ત્વોને જાણતો નથી; નિર્મળ ક્રમબદ્ધપર્યાયની શું સ્થિતિ છે. અર્થાત્ કઈ રીતે ક્રમબદ્ધપર્યાય નિર્મળ થાય છે-તેને પણ તે જાણતો નથી તેથી ખરેખર તે ક્રમબધ્ધપર્યાયને ઓળખતો નથી. આ તો ઊંડી વાત છે, ભાઈ !
[ ૮૦] “મોતીનો શોધક” ઊંડા પાણીમાં ઉતરે છે; તેમ ઊંડે ઊતરીને આ વાત જે
સમજશે તે ન્યાલ થઈ જશે!
પ્રશ્ન:-ઊંડા પાણીમાં ઊતરતાં બૂડી જવાની બીક છે?
ઉત્તર:-આ પાણીમાં ઊતરે તો વિકારનો મેલ ધોવાઈ જાય; આ ઊંડા પાણીમાં ઊતર્યા વગર વસ્તુ હાથ આવે તેમ નથી. દરિયામાંથી મોતી શોધવા માટે પણ ઊંડા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com