Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 167
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૫૩ વસ્તુસ્વરૂપ નથી. કેવળીને માટે બધું ક્રમબદ્ધ ને છદ્મસ્થને માટે અક્રમબદ્ધ એટલે છદ્મસ્થ તેમાં આડુંઅવળું પણ કરી ઘે–એમ માનનારને ક્રમબદ્ધપર્યાયના સ્વરૂપની ખબર નથી. કેવળીભગવાન ભલે પૂરૂં પ્રત્યક્ષ જાણે ને છદ્મસ્થ પૂરું પ્રત્યક્ષ ન જાણે, તો પણ વસ્તુસ્વરૂપનો ( ક્રમબદ્ધપર્યાય વગેરેનો) નિર્ણય તો બંનેને સરખો જ છે. કેવળીભગવાન બધા દ્રવ્યોની ક્રમબદ્ઘપર્યાય થવાનું જાણે, અને છદ્મસ્થ તેને અક્રમે થવાનું માને, તો તો તેના નિર્ણયમાં જ વિપરીતતા થઈ. ‘હું જ્ઞાયક છું ને પદાર્થોની ક્રમબદ્ધ–અવસ્થા છે’–એવો નિર્ણય કરીને જ્ઞાયકસ્વભાવસન્મુખ પરિણમતા જ્ઞાનીને તો જ્ઞાતાભાવનું જ પરિણમન ખીલતાં ખીલતાં અનુક્રમે કેવળજ્ઞાન થઈ જાય છે. પણ જેને હજી તો નિર્ણયમાં જ ભૂલ છે તેને જ્ઞાતાપણાનું પરિણમન થતું નથી પણ વિકારનું જ ર્તાપણું રહે છે. [૯૦] જ્ઞાન અને જ્ઞેયનો મેળ, -છતાં બંનેની સ્વતંત્રતા. પ્રશ્ન:-કેવળીભગવાને જેમ જાણ્યું તેમ આ જીવને પરિણમવું પડે છે? કે આ જીવ જેમ પરિણમે તેમ કેવળીભગવાન જાણે છે? ઉત્તર:-પહેલી વાત એ છે કે કેવળજ્ઞાનનો નિર્ણય કરનારે ‘જ્ઞાનશક્તિ 'ના અવલંબને એ નિર્ણય કર્યો છે એટલે તેનામાં નિર્મળ પરિણમન (સમ્યગ્દર્શનાદિ) થઈ ગયું છે, અને કેવળીભગવાને પણ તેમ જ જાણ્યું છે. કેવળીભગવાનનું જ્ઞાન, અને આ જીવનું પરિણમન' એ બંનેનો શૈયજ્ઞાયકપણાનો મેળ હોવા છતાં, કોઈને આધીન કોઈ નથી. કેવળીભગવાને તો બધા પદાર્થોની ત્રણેકાળની અવસ્થા એક સાથે જાણી લીધી છે, ને પદાર્થમાં પરિણમન તો એક પછી એક અવસ્થાનું થાય છે. કેવળીએ જાણ્યું માટે પદાર્થને તેવું પરિણમવું પડે છે-એમ નથી, અથવા પદાર્થ તેમ પરિણમે છે માટે કેવળી તેવું જાણે છે–એમ પણ નથી. અને આમ હોવા છતાં કેવળજ્ઞાન અને જ્ઞેયની સંધિ તૂટતી પણ નથી; કેવળજ્ઞાને જાણ્યું તેનાથી બીજી રીતે વસ્તુ પરિણમે, અથવા તો વસ્તુ પરિણમે તેનાથી બીજી રીતે કેવળજ્ઞાન જાણે–એમ કદી બનતું નથી. આમાં, કેવળજ્ઞાનની એટલે કે આત્માના શાયકસ્વભાવની મહત્તા સમજવી, ને જ્ઞાયકસન્મુખ થઈને પરિણમવું તે જ મૂળભૂત વસ્તુ છે. [૯૧] આગમને જાણશે કોણ ? પ્રશ્ન:-આ ક્રમબદ્ધપર્યાયની આપ કહો છો એવી વાત આગમમાં મળતી નથી. ઉત્તર:-અરે ભાઈ ! હજી તને સર્વજ્ઞનો તો નિર્ણય નથી, તો સર્વજ્ઞના નિર્ણય વગ૨, ‘સર્વજ્ઞના આગમ કેવાં હોય અને તેમાં શું કહ્યું છે' તેની તને શું ખબર પડે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176