________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૫
વળી જુઓ, તે દેડકાંને કે ચકલાં વગેરે તિર્યંચને સમ્યગ્દર્શન થતાં, સ્વસમ્મુખ થઈને, સંવર-નિર્જરા દશા પ્રગટી છે પણ હજી કેવળજ્ઞાન નથી થયું. પર્યાયમાં હજી અલ્પતા અને રાગ પણ છે, છતાં તે પર્યાયને જાણતાં તેને એવો વિકલ્પ કે સંદેહ નથી ઊઠતો કે અત્યારે આવી પર્યાય કેમ? ને કેવળજ્ઞાન પર્યાય કેમ નહીં ?'' એવો જ તે પર્યાયનો ક્રમ છે એમ જાણે છે. કેવળજ્ઞાન નથી તેથી કાંઈ સમ્યગ્દર્શનમાં તેને શંકા નથી પડતી. એ જ પ્રમાણે તે પર્યાયમાં રાગ છે તેને પણ જાણે છે. પણ તે રાગને જાણતાં તે તિર્યંચસમકતિ તેને સ્વભાવપણે નથી વેદતા, રાગથી ભિન્ન જ્ઞાયકસ્વભાવપણે જ પોતાને અનુભવે છે. રાગ છે તેટલું તેનું વેદન છે, પણ જ્ઞાયક-દષ્ટિમાં તેનું વેદન છે જ નહિ. જ્ઞાયકસ્વભાવની દિષ્ટિથી જ્ઞાન સમાધાનપણે વર્તે છે, કયાંય પરને આઘુંપાછું કરવાની મિથ્થાબુદ્ધિ થતી નથી, એ જ ક્રમબદ્ધપર્યાયની પ્રતીતનું ફળ છે.
-એ રીતે, જે કોઈ સમકતિ જીવો છે તે બધાયને પોતાના જ્ઞાયકસ્વભાવના નિર્ણયમાં, સર્વજ્ઞની તેમજ ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ ભેગી આવી જ જાય છે; એથી વિપરીત માનનારને સમ્યગ્દર્શન હોતું નથી.
સમ્યદર્શન કહો, “કે.વ.ળ” જ્ઞાન (એટલે કે રાગથી જુદું જ્ઞાન) કહો, ભેદજ્ઞાન કહો, ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કહો, જૈનશાસન કહો કે ધર્મની શરૂઆત કહો, –તે બધુંય આમાં એક સાથે આવી જાય છે.
[૯૪] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું ફળ - અબંધપણું (“જ્ઞાયકને બંધન નથી.')
જીવ અને અજીવ બંનેની કમબદ્ધપર્યાય પોતપોતાથી સ્વતંત્ર છે; જ્ઞાયકસ્વરૂપ જીવ પોતાના જ્ઞાયકપણાની ક્રમબદ્ધપર્યાયમાં પરિણમતો તેનો જ્ઞાતા છે, પણ પરનો અર્તા છે. આ રીતે અલ્તપણે પરિણમતા શાયકને બંધન થાય જ નહિ.
-આમ હોવા છતાં, અજ્ઞાનીને બંધન કેમ થાય છે? આચાર્યદેવ કહે છે કે એ તેના અજ્ઞાનનો મહિમા પ્રગટ છે, તેના અજ્ઞાનને લીધે જ તેને બંધન થાય છે. જ્ઞાયક સ્વભાવનો મહિમા જાણે તો તો બંધન ન થાય; જ્ઞાયકસ્વભાવનો મહિમા ભૂલીને જે પરનો થાય છે તેને અજ્ઞાનનો મહિમા પ્રગટ થયો છે અને તેથી જ તેને બંધન થાય છે.
જ્ઞાયકસ્વભાવે પરિણમતો જીવ, મિથ્યાત્વાદિ કર્મના બંધનમાં નિમિત્ત પણ થતો નથી; નિમિત્તપણે પણ તે મિથ્યાત્વાદિનો અર્જા જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com