Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 135
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૧ રાગાદિને પણ જાણે જ છે. તેને સ્વભાવ સન્મુખ પરિણમનમાં શુદ્ધ પર્યાય જ થતી જાય (૪) “ક્રમબદ્ધપર્યાય'નું ચોથું દષ્ટાંત છે-માળાના મોતીનું. જેમ ૧૦૮ મોતીઓની માળામાં દરેક મોતીનો ક્રમ નિયમિત છે, કોઈ મોતીનો ક્રમ આઘોપાછો થતો નથી; તેમ દ્રવ્યની અનાદિ-અનંત પર્યાયમાળા-પર્યાયોની હાર-છે, તેમાં દરેક પર્યાય ક્રમબદ્ધ છે, કોઈ પર્યાય આડીઅવળી થતી નથી. [–જુઓ, પ્રવચનસાર ગા. ૯૯ ટીકા] જુઓ, આ વસ્તુ સ્વરૂપ ! [૪૦] હે જીવ! તું શાયકને લક્ષમાં લઈને વિચાર. ભાઈ, આ સમજવા માટે કાંઈ મોટા મોટા ન્યાયશાસ્ત્રો ગોખવા પડે એમ નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ છે તેને લક્ષમાં લઈને તું વિચાર કે આ તરફ હું જ્ઞાયક છું-મારો સર્વજ્ઞસ્વભાવ છે, –તો સામે જ્ઞયવસ્તુની પર્યાય ક્રમબદ્ધ જ હોય કે અક્રમબદ્ધ ? પોતાના જ્ઞાનસ્વભાવને સામે રાખીને વિચારે તો તો આ ક્રમબદ્ધપર્યાયની વાત સીધીસટ બેસી જાય તેવી છે; પણ જ્ઞાયકસ્વભાવને ભૂલીને વિચારે તો એક પણ વસ્તુનો નિર્ણય થાય તેમ નથી. નિર્ણય કરનાર તો જ્ઞાયક છે, તે જ્ઞાયકના જ નિર્ણય વગર પરનો કે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરશે કોણ? “હું જ્ઞાયક છું” એમ સ્વભાવમાં એક્તા કરીને સાધકજીવ જ્ઞાયકભાવે જ ઊપજે છે; જેની મુખ્યતા છે તેનો જ ર્તા-ભોક્તા છે, જ્ઞાનીને રાગની મુખ્યતા નથી તેથી તેનો ર્તા-ભોક્તા નથી. રાગને ગૌણ કરીને, વ્યવહાર ગણીને, અભૂતાર્થ કહ્યો છે એટલે જ્ઞાની રાગપણે ઊપજતો જ નથી. આ રીતે અભેદની વાત છે, -જ્ઞાયકમાં અભેદ થયો તે જ્ઞાન-આનંદ-શ્રદ્ધા વગેરે પણે જ ઊપજે છે, રાગમાં અભેદ નથી તેથી તે રાગપણે ઊપજતો જ નથી. શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-આનંદ વગેરેના નિર્મળ ક્રમબદ્ધપરિણામપણે જ જ્ઞાની ઊપજે છે. [૪૧] ક્રમબદ્ધપણું કઈ રીતે છે? અહીં “ક્રમબદ્ધપરિણામ' કહેવાય છે એટલે શું? પહેલાં એક ગુણ પરિણમે, પછી બીજો ગુણ પરિણમે, પછી ત્રીજો ગુણ પરિણમે-એવો ક્રમબદ્ધપરિણામનો અર્થ નથી; અનંતગુણો છે તે કાંઈ એક પછી એક નથી પરિણમતા, ગુણો તો બધા એક સાથે જ પરિણમે છે, એટલે અનંતગુણોના અનંત પરિણામ એક સાથે છે; પણ અહીં તો ગુણોના પરિણામો એક પછી એક [ ઊર્ધ્વમે] ઊપજે છે તેની વાત છે. ગુણો સહભાવરૂપ-એક સાથે-છે, પણ પર્યાયો ક્રમભાવરૂપ-એક પછી એક-છે. એક પછી એક હોવા ઉપરાંત, તે દરેક પર્યાય સ્વકાળમાં નિયમિત-વ્યવસ્થિત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176