________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
[૭૬] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું મૂળ.
“ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે...” -કોણ ઉપજે છે? દ્રવ્ય ઊપજે છે.' -કેવું દ્રવ્ય ? “જ્ઞાયકસ્વભાવી દ્રવ્ય.”
જેને આવા દ્રવ્યસ્વભાવની સન્મુખતા થાય તેને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજાય છે. આ રીતે જ્ઞાયકસ્વભાવની સન્મુખતા તે જ ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું મૂળ છે.
[ ૭૭] અત્યારે પર્યાયનું પરમાં “અર્તાપણું ” સિદ્ધ કરવાની મુખ્યતા છે,
નિરપેક્ષપણું સિદ્ધ કરવાની મુખ્યતા નથી.
અહીં, પર્યાયનું પરમાં અર્તાપણું બતાવવું છે તેથી દ્રવ્ય ઊપજે છે' એ વાત લીધી છે; દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, ને ઊપજતું થયું તે પર્યાયમાં તે તન્મય છે, –એ રીતે દ્રવ્ય-પર્યાય બંનેની અભેદતા બતાવીને પરનું અર્તાપણું સિદ્ધ કર્યું છે.
જયારે સામાન્યધર્મ અને વિશેષધર્મ-એમ બંને ધર્મો જ સિદ્ધ કરવા હોય ત્યારે તો એમ કહેવાય કે પર્યાય તે પર્યાયધર્મથી જ છે, -દ્રવ્યને લીધે નહિ. કેમકે જો સામાન્ય અને વિશેષ (અર્થાત્ દ્રવ્ય અને પર્યાય) બંને ધર્મોને નિરપેક્ષ ન માનતાં, સામાન્યને લીધે વિશેષ માનો તો વિશેષધર્મની હાનિ થાય છે; માટે પર્યાય પણ પોતાથી સત્ છે.-પર્યાયધર્મ નિરપેક્ષ સિદ્ધ કરવો હોય ત્યારે એ પ્રમાણે કહેવામાં આવે છે.
* સમન્તભદ્રસ્વામી “આપ્ય-મીમાંસા માં કહે છે કે
(શ્લોક ૭૩) નો ઘર્મ ઘર્મી ભાવિ કાન્ત રિબાપલિવ સિદ્ધિ માની, તો धर्म धर्मी दोऊ ही न ठहरे। बहुरि अपेक्षा विना एकान्त करि सिद्धि मानीए तो सामान्य विशेषपणां न ठहरे।
(શ્લોક ૭૫૦) ધર્મ ભર ધર્મી અવિનાભાવ હૈ સો તો પરસ્પર અપેક્ષા કર સિદ્ધ है, धर्मं विना धर्मी नांही। बहुरि धर्मं , धर्मीका स्वरूप है सो परस्पर अपेक्षा करि सिद्ध नांही है, स्वरूप है सो स्वतःसिद्ध है।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com