________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૩૮
સદાય હોય જ છે;–તો પછી આ નિમિત્તને લીધે આ થયું-એ વાત કયાં રહે છે? અને નિમિત્ત ન હોય તો ન થાય-પ્રશ્ન પણ કયાં રહે છે? અહીં કાર્ય થવાને, અને સામે નિમિત્ત હોવાને કાંઈ સમયભેદ નથી. નિમિત્તનું અસ્તિત્વ કાંઈ નૈમિત્તિક-કાર્યની પરાધીનતા નથી બતાવતું; પણ નિમિત્ત કોનું?-કે નૈમિત્તિકકાર્ય થયું તેનું;–એમ તે નૈમિત્તિકને જાહેર કરે છે.આવી નિમિત્ત-નૈમિત્તિકની સ્વતંત્રતા પણ જે ન જાણે તેને તો સ્વ-પરનું ભેદજ્ઞાન નથી, અને અંતરની જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ તો તેને હોય જ નહિ. અહીં તો જ્ઞાયકસ્વભાવની દષ્ટિ થતાં નિમિત્ત સાથેનો સંબંધ તૂટી જાય છે-એવી સૂક્ષ્મ વાત છે. જ્ઞાનીની દષ્ટિમાં કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો છે.
[૬૯] શાયકદષ્ટિમાં જ્ઞાનીનું અર્તાપણું.
જ્ઞાયકભાવે ઊપજતા જીવને ૫૨ સાથે કાર્યકારણપણું નથી, એટલે કે તે નવા કર્મને બંધાવામાં નિમિત્ત થતો નથી તેમ જ જુનાં કર્મોને નિમિત્ત બનાવતો નથી. કોઈ પૂછે કે રાગનો તો ર્તા છે ને? તો કહે છે કે ના; રાગ ઉ૫૨ દષ્ટિ નહિ હોવાથી જ્ઞાની રાગના ર્તા નથી; જ્ઞાયકદષ્ટિમાં જ્ઞાયકભાવપણે પણ ઊપજે ને રાગપણે પણ ઊપજે-એમ બનતું નથી; જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ઊપજે છે ને રાગપણે ઊપજતો નથી, રાગના જ્ઞાતાપણે ઊપજે છે.
[ ૭૦ ] જીવના નિમિત્ત વિના પુદ્ગલનું પરિણમન.
પ્રશ્ન:-પુદ્દગલ તો અજીવ છે, કાંઈ જીવના નિમિત્ત વિના તેની અવસ્થા થાય?
ઉત્ત૨:-ભાઈ, જગતમાં અનંતાનંત એવા સૂક્ષ્મ ૫૨માણુઓ-છૂટા તેમજ સ્કંધ-રૂપેછે કે જેમને પરિણમનમાં કાળદ્રવ્ય જ નિમિત્ત છે, જીવનું નિમિત્તપણું નથી. જીવ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો અમુક પુદ્ગલ સ્કંધોને જ છે, પણ તેનાથી અનંતગુણા પરમાણુઓ તો જીવ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વગર જ પરિણમી રહ્યા છે. એક છૂટો પરમાણુ એક અંશમાંથી બે અંશ લૂખાસ કે ચીકાસરૂપે પરિણમે, ત્યાં કયો જીવ નિમિત્ત છે?—તેને ફક્ત કાળદ્રવ્ય જ નિમિત્ત છે. અજ્ઞાનીને સંયોગથી જ જોવાની દૃષ્ટિ છે એટલે વસ્તુના સ્વાધીન પરિણમનને તે જોતો નથી. (નિમિત્ત ન હોય તો ?...શું નિમિત્ત વિના થાય છે?–ઇત્યાદિ પ્રશ્નોના ખૂલાસા માટે પહેલી વખતના પ્રવચનોમાં નં. ૧૦૦-૧૦૧, ૧૧૪ અને ૧૫૦ જુઓ )
[૭૧] શાયકભાવપણે ઊપજતો જ્ઞાની કર્મનો નિમિત્તર્તા પણ નથી.
અહીં તો ‘સર્વવિશુદ્ધજ્ઞાન 'ની એટલે જીવના સ્વભાવની વાત ચાલે છે. જીવનો જ્ઞાન-સ્વભાવ છે તે પરનો અર્કા છે.-નિમિત્તપણે પણ તે પરનો અર્તા છે. ૫૨માં અહીં મુખ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com