________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
તોડવા કે ફેરવવા કોઈ સમર્થ નથી. હું જ્ઞાયક, જગતના દ્રવ્ય-ગુણ-પર્યાય જેમ સત્ છે તેમ તેનો જાણનાર છું–આમ પોતાના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરવાની આ વાત છે. જ્ઞાયકનો નિર્ણય કરે તે જ જ્ઞયોને યથાર્થપણે જાણે છે.
[૧૯૧] આ છે, જ્ઞાયક સ્વભાવનું અર્તાપણું.
દ્રવ્ય-ક્ષેત્ર ને ભાવ, પહેલા સમયે તે પર્યાયમાં તદ્રુપ છે, તે પર્યાય પલટીને બીજી પર્યાય થઈ, ત્યારે બીજા સમયે તે પર્યાયમાં તદ્રુપ છે. એ રીતે વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ ચારેય સમયે સમયે પલટીને નવી નવી અવસ્થાપણે ઊપજે છે, તેથી તેની સાથે જ તેને કારણ-કાર્યપણું છે, પણ બીજાની સાથે કારણ-કાર્યપણું નથી. જુઓ, આ જ્ઞાયકસ્વભાવનું અર્તાપણું !
(૧) જ્ઞાયકસ્વભાવ પરથી તો ભિન્ન, (૨) રાગાદિના ભાવોથી પણ ભિન્ન, (૩) એક પર્યાય, આગળ-પાછળની બીજી અનંત પર્યાયોથી ભિન્ન, (૪) એક ગુણ બીજા અનંત ગુણોથી ભિન્ન, અને (૫) દ્રવ્ય-ગુણને પહેલા સમયે જે પર્યાય સાથે તદ્રુપપણું હતું તે તદ્રુપપણું બીજા
સમયે નથી રહ્યું, પણ બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રુપપણું થયું છે. -જુઓ આ સત્યનું શ્રદ્ધાન થવાની રીત ! આ વાત લક્ષમાં લેતાં આખું જ્ઞાયકદ્રવ્ય નજર સામે આવી જાય છે. [૧૯૨] “જીવંત વસ્તુવ્યવસ્થા અને શાયકનું જીવન -તેને જે નથી જાણતો તે મૂઢ
માને છે-“મરેલાને જીવતું, ને જીવતાને મરેલું!'
જેમ કોઈ અજ્ઞાની પ્રાણી મડદાને જીવતું માનીને તેને જીવાડવા માંગે-ખવરાવવા, પીવરાવવા માંગે, તો કાંઈ મડદું જીવતું થાય નહિ ને આનું દુ:ખ મટે નહિ. (અહીં રામચંદ્રજીનો દાખલો નથી આપતા, કેમ કે રામચંદ્રજી તો જ્ઞાની સમકીતિ હતા.) પણ મડદાને મડદા તરીકે જાણે તો તેની ભમણાનું દુ:ખ ટળે. તેમ પર વસ્તુ સાથે ક્નકર્મપણાનો અત્યંત અભાવ જ છે (મડદાની માફક ) છતાં પરનું હું કરું એમ જે માને છે તે અભાવને અભાવ તરીકે ન માનતાં, પરનો પોતામાં સદ્ભાવ માને છે, તે ઊંધી માન્યતાથી તે દુઃખી જ છે.
અથવા, જેમ કોઈ જીવતાને મરેલું માને તો તે મૂઢ છે, તેમ આત્મા જ્ઞાયક-સ્વભાવે જીવતો છે, જ્ઞાયકપણું જ તેનું જીવન છે, તેને બદલે તેને પરનો ર્તા માને છે તે જ્ઞાયકજીવને હણી નાંખે છે, એટલે તે મોટો હિંસક છે. વળી પરવસ્તુ પણ
Please inform us of any errors on [email protected]