Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 127
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૧૩ –એટલે કે નિમિત્ત અકિંચિત્કર હોવા છતાં, સભ્યજ્ઞાન પામનારને નિમિત્ત કેવું હોય તે જાણવું જોઈએ. આત્માનું અપૂર્વ જ્ઞાન પામનાર જીવને સામે નિમિત્ત તરીકે પણ જ્ઞાની જ હોય. ત્યાં, સભ્યજ્ઞાનરૂપે પરિણમેલો સામા જ્ઞાનીનો આત્મા તે ‘અંતરંગ નિમિત્ત’ છે અને તે જ્ઞાનીની વાણી બાનિમિત્ત છે. એ રીતે સમ્યજ્ઞાન આપવામાં જ્ઞાની જ નિમિત્ત હોય છે, અજ્ઞાની નિમિત્ત ન હોય, તેમ જ એકલી જડવાણી પણ નિમિત્ત ન હોય.-આ વાત નિયમસારની ૩૫મી ગાથાના વ્યાખ્યાનમાં બહુ સ્પષ્ટપણે કહેવાઈ ગઈ છે. ( જુઓ, આત્મધર્મ-ગુજરાતી અંક ૯૯) સતમાં કેવું નિમિત્ત હોય તે ન ઓળખે તો અજ્ઞાની-મૂઢ છે, ને નિમિત્ત કાંઈ ધે એમ માને તો તે પણ મૂઢમિથ્યાદષ્ટિ છે. [૨૩] આત્મહિતને માટે ભેદજ્ઞાનની સીધી સાદી વાત. જુઓ, આ તો સીધી સાદી વાત છે કે દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમે છે, તો બીજો તેમાં શું કરે? એ ઉપરાંત અહીં તો એમ સમજાવવું છે કે ભગવાન આત્મા જ્ઞાયક છે. તે ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકભાવપણે ઉપજતો થકો જ્ઞાયકભાવની જ રચના કરે છે, રાગપણે ઊપજે કે રાગને રચે-એવું જીવતત્ત્વનું ખરું સ્વરૂપ નથી, તે તો આસ્રવ અને બંધતત્ત્વમાં જાય છે. અંતરમાં રાગ અને જીવનું પણ ભેદજ્ઞાન કરવાની આ વાત છે. નિમિત્ત કાંઈ કરે-એમ માનના૨ને તો હજી બહારનું ભેદજ્ઞાન પણ નથી-૫૨થી ભિન્નતાનું જ્ઞાન પણ નથી, તો પછી જ્ઞાયકભાવ તે રાગનો ર્તા નથી, એવું અંતરનું (જ્ઞાન અને રાગ વચ્ચેનું ) ભેદજ્ઞાન તો તેને કયાંથી હોય? પણ જેને ધર્મ કરવો હોય-આત્માનું કંઈ પણ હિત કરવું હોય તેણે બીજું બધું એકકોર મૂકીને આ સમજવું પડશે. ભાઈ! તારા ચૈતન્યનો પ્રકાશક સ્વભાવ છે, તે નવી નવી ક્રમબદ્ધપર્યાયે ઊપજતો થકો, શાયકસ્વભાવના ભાનપૂર્વક રાગાદિને કે નિમિત્તોને પણ જ્ઞાતાપણે જાણે જ છે, જ્ઞાતાપણે ઊપજે છે પણ રાગના ક્તપણે ઊપજતો નથી. જીવ રાગના ર્ક્સપણે નથી ઊપજતો, “તો શું તે ફૂટસ્થ છે?-ના; તે પોતાના જ્ઞાતાભાવપણે ઊપજે છે, તેથી કૂટસ્થ નથી. અહીં તો કહ્યું કે ‘જીવ ઊપજે છે’–એટલે કે દ્રવ્ય પોતે પરિણમતું થકું પોતાની પર્યાયને દ્રવે છે, દ્રવ્ય પોતે પોતાની ક્રમબદ્ધ-પર્યાયરૂપે પરિણમે છે, તે કૂટસ્થ નથી તેમ બીજો તેનો પરિણમાવનાર નથી. [૨૪] હે શાયકચિદાનંદ પ્રભુ ! તારા શાયકતત્ત્વને લક્ષમાં લે. સર્વજ્ઞદેવ, કુંદકુંદાચાર્ય-અમૃતચંદ્રાચાર્ય વગેરે સંતો, અને શાસ્ત્રો આમ કહે છે કે જ્ઞાયકસ્વરૂપી જીવ રાગાદિનો અર્તા છે. અરે ભાઈ! તું આવા જીવતત્ત્વને માને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176