________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
સ્વતંત્રતા બતાવીને આત્માને પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ લઈ જાય-તે જ ઈષ્ટ-ઉપદેશ છે, –અને તે જ જૈનધર્મનો મર્મ છે તેથી જૈનને ઉપનિષદ છે.
[૧૨૪] -વિરલા બૂઝે કોઈ !'
આ વાત સમજ્યા વગર ઉપાદાન-નિમિત્તનું પણ યથાર્થજ્ઞાન ન થાય. ઉપાદાન અને નિમિત્ત બને ચીજ છે ખરી, તેનું જ્ઞાન કરાવવા માટે શાસ્ત્રોમાં તેનું વર્ણન કર્યું, ત્યાં અજ્ઞાની પોતાની ઊંધી દષ્ટિથી ઉપાદાન-નિમિત્તના નામે ઊલટો સ્વ-પરની એક્તાબુધ્ધિ પોષે છે; “જુઓ, શાસ્ત્રમાં નિમિત્ત તો કહ્યું છે ને? બે કારણ તો કહ્યા છે ને?'' એમ કહીને ઊલટો સ્વ-પરની એક્તાબુધ્ધિ ઘૂંટે છે. પં. બનારસીદાસજી કહે છે કે
उपादान निजगुण जहां तहां निमित्त पर होय।
भेदज्ञान परमाण विधि विरला बूझे कोई।। ४ ।। અર્થાત-જ્યાં ઉપાદાનની પોતાની નિશક્તિથી કાર્ય થાય છે, ત્યાં બીજી ચીજ નિમિત્ત હોય છે; આમ ઉપાદાન અને નિમિત્ત બને ચીજ તો છે, પણ ત્યાં ઉપાદાનની પોતાની યોગ્યતાથી જ કાર્ય થાય છે, ને નિમિત્ત તો તેમાં અભાવરૂપ-અકિંચિત્થર છે, - એવી ભેદજ્ઞાનની યથાર્થ વિધિ કોઈ વિરલા જ જાણે છે, એટલે કે સમીતિ જ જાણે છે.
[૧૨૫] અહીં સિદ્ધ કરવું છે-આત્માનું અર્તાપણું.
અત્યાર સુધીમાં આચાર્યદવે એ વાત સિદ્ધ કરી કે- “પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી; કારણ કે જેમ સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાભ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાભ્ય
છે. '
હવે આ સિદ્ધાંત ઉપરથી જીવનું અર્તાપણું સિદ્ધ કરવા માટે આચાર્યદવ કહે છે કે “આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી; xxx'' í થઈને પોતાના જ્ઞાયકપરિણામ પણે ઊપજતો જીવ, કર્મના બંધનનું પણ કારણ થાય-એમ બનતું નથી, એ રીતે તેનું અર્જા-પણું છે.
[ ૧૨૬ ]“એકનો í તે “બે”નો ર્તા નથી. (જ્ઞાયકના અર્તાપણાની સિદ્ધિ.)
પ્રશ્ન:-જો જીવ પોતાના પરિણામથી ઊપજે છે ને તેમાં તતૂપ થઈને તેને કરે છે, તો એક ભેગું બીજાનું પણ કરે-તેમાં શો વાંધો? “એકનો ગોવાળ તે બેનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com