________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-આવી વાત આવે ત્યાં ઉપાદાન નિમિત્તનું ભેદજ્ઞાન સમજવાને બદલે કેટલાક ઊંધી દષ્ટિવાળા જીવો કહે છે કે “અરે ! નિમિત્તનો નિષેધ થઈ જાય છે!' ભાઈ રે! આમાં નિમિત્તના અસ્તિત્વનો નિષેધ થતો નથી, નિમિત્ત નિમિત્ત તરીકે જેમ છે તેમ રહે છે. તું નિમિત્તને નિમિત્ત તરીકે રાખ, નિમિત્તને ઉપાદાનમાં ન ભેળવ. અજ્ઞાનીઓ નિમિત્તનૈમિત્તિક સંબંધને ર્તા-કર્મપણે માનીને, ઉપાદાન-નિમિત્તની એક્તા કરી નાંખે છે.
“ –કાર્ય થાય ઉપાદાનથી, પણ કાંઈ નિમિત વિના થાય છે? -શરીરની ક્રિયા થાય શરીરથી, પણ કાંઈ જીવ વિના થાય છે? -વિકાર કરે જીવ પોતે, પણ કાંઈ કર્મ વિના થાય છે? -જ્ઞાન થાય પોતાથી, પણ કાંઈ ગુરુ વિના થાય છે? -મોક્ષ થાય જીવના ઉપાદાનથી, પણ કાંઈ મનુષ્યદેહ વિના થાય છે?
-એમ કેટલાક દલીલ કરે છે; પણ ભાઈ ! ઉપાદાનની પોતાની યોગ્યતાથી જ થાયએમ જે ખરેખર જાણે છે તેને પર નિમિત્ત કેવું હોય તેનું પણ જ્ઞાન હોય જ છે, એટલે
નિમિત્ત વિના...''નો પ્રશ્ન તેને રહેતો નથી. તે તો જાણે છે કે ઉપાદાનથી કાર્ય થાય છે, ને ત્યાં યોગ્ય નિમિત્ત હોય જ છે, ગર્લઘર્માસ્તિવયવતા'
જે જીવ સ્વ-પર બે વસ્તુને માનતો જ નથી–નિમિત્તને જાણતો જ નથી, એવા અન્યમતિને નિમિત્તનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે ““નિમિત્ત વિના ન થાય' એવી દલીલથી સમજાવવામાં આવે છે; પણ જ્યાં સ્વ-પરના ભેદજ્ઞાનની વાત ચાલતી હોય, ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનું વર્ણન ચાલતું હોય, ત્યાં વચ્ચે “નિમિત્ત વિના ન થાય'એ દલીલ મૂકવી તે તો નિમિત્તાધીન દષ્ટિ જ સૂચવે છે. ““નિમિત્ત હોય જ છે'' પછી નિમિત્ત વિના ન થાય” એ દલીલનું શું કામ છે?
પ્રવચનસાર ગા. ૧૬૦ માં આચાર્યદવ કહે છે કે ખરેખર હું શરીર, વાણી અને મનને આધારભૂત નથી, તેમનું કારણ હું નથી, તેમનો ર્જા હું નથી, તેમનો પ્રયોજક કે અનુમોદક પણ હું નથી; મારા વિના જ એટલે કે હું તે શરીરાદિનો આધાર થયા વિના, કારણ થયા વિના, ક્ત થયા વિના, પ્રયોજક કે અનુમોદક થયા વિના, તેઓ સ્વયં પોતપોતાથી જ કરાય છે, માટે હું તે શરીરાદિનો પક્ષપાત છોડીને (અર્થાત્ મારા નિમિત્ત વિના તે ન થાય-એવો પક્ષપાત છોડીને) અત્યંત મધ્યસ્થ-સાક્ષી સ્વરૂપ જ્ઞાયક છું.
(જુઓ, પ્રવચનસાર ગા. ૧૬૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com